શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરના સેક્રેટરીએ એક યાદીમાં જણાવ્યું છે કે આથી દરેક ખેડુતભાઈઓ, દલાલભાઈઓને જાણ કરવામાં આવે છે કે માવઠુ (કમોસમી વરસાદ) ની શકયતા હોવાથી ખેડૂતભાઈઓએ પોતાનો માલ વાહનમાં તાલપત્રી કાગળ ઢાંકીને લાવવો.અને
શેડમાં જગ્યા હશે ત્યાં સુધી માલ ઉતારવા દેવામાં આવશે. જગ્યા નહી હોય તો વાહન ઉભું રાખવું પડશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી.ખેડૂતભાઈઓએ આ સુચનાનો અમલ નવી જાહેરાત ન થાય ત્યા સુધી કરવાનો રહેશે. દલાલભાઈઓએ પોતાના ખેડુતભાઈઓને ઉપરોકત સુચનાની જાણ કરવા વિનંતી.
જે વેપારીભાઈઓનો માલ ખુલ્લી જગ્યામાં હોય તેને પોતાના ગોડાઉનમાં વ્યવસ્થા કરી લેવી.