વિના મૂલ્યે ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું
વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા ગઈ કાલે વાંકાનેર વાણંદ સમાજના વિદ્યાર્થીઓ માટે શાહી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની ધમાકેદાર એન્ટ્રી તેમજ બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું.



તેમજ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાણંદ સમાજના વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. વાંકાનેર વાણંદ સમાજ દ્વારા પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોને ગાયત્રી મંત્રના નાદ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સેન યુવા સંગઠનના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી…



