કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પીપળિયારાજની ખાનગી શાળા બંધ થતા વિદ્યાર્થીઓ પરેશાન

આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય: શિક્ષણાધિકારી મૌન

વાંકાનેર : પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે આવેલી યુનિક નામની ખાનગી શાળા છેલ્લા અઢાર મહિનાથી કોઈપણ જાતની કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર જ બંધ કરી દેવામાં આવતા આ શાળામાં આરટીઇ હેઠળ અભ્યાસ કરતા કડીવાર મહમદસૈફ ઇમરાનભાઈ, શેરસીયા અજીમ અલીઅકબર, સોહરવદી અયાન મહેબુબભાઇ અને શેરસીયા મંજર વલીમામદભાઈના વાલીઓ દ્વારા અવાર-નવાર આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીથી લઈ તાલુકા કક્ષાએ રજુઆત કરવામાં આવી હોવા છતાં બાળકોના ભવિષ્યની ચિંતા કર્યા વગર કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા આ બાળકોનું ભવિષ્ય હાલમાં અંધકારમય બન્યું છે. 

બીજી તરફ હાલમાં શાળા બંધ હોવા છતાં શાળા સંચાલકોએ શાળા બંધ કરવા માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા કરી ન હોવાથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા વાલીઓની અરજી ગ્રાહ્ય રાખી શકાય તેમ ન હોવાનો બિંબાઢાળ જવાબ આપી જવાબદારી ખંખેરી નાખતા વાલીઓ ચિંતામાં ગરક થયા છે. વાંચે ગુજરાત, ભણે ગુજરાત અને ગુણોત્સવના તાયફા કરનાર શિક્ષણ વિભાગ આ બાળકો માટે અન્ય શાળામાં કોઈ જ વ્યવસ્થા ન કરતા બાળકો ઘરે બેસવા મજબુર થયા છે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!