કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર

જાણો કપાસ-મગફળી સહિત આ પાકોનો શું છે ભાવ
ખેડૂતો ઈ સમૃદ્ધી વેબસાઈટ પર નોંધણી કરી શકશે

ગાંધીનગર: કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક મળી હતી. જેમાં ટેકાના ભાવે ખરીદીના ભાવ નક્કી કરાયા અને ખરીફ પાકોના ભાવ અંગે કેન્દ્ર સરકારને ભલામણ કરવામા આવી. આ બેઠકમાં કિસાનસંઘના આગેવાનો હાજર રહ્યા હતા. તો ચણા, રાયડો અને તુવરેની ટેકાના ભાવે ખરીદી માટે 5મી ફેબ્રુઆરીથી ઑનલાઈન નોંધણી શરૂ થશે અને 20 ફેબ્રુઆરીથી ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ કરશે.

વર્ષ 2024-25 ખરીફ પાકોના ભાવો અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષના ભાવ કરતાં 10 ટકા ભાવ વધારાની ભલામણ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે કરશે. વિવિધ 10 જેટલા પાકોના ટેકાના ભાવો અંગે કેન્દ્ર સરકારને ભલામન કરવામાં આવશે. કૃષિ ભાવ પંચ કેન્દ્ર સરકારને ટેકાના ભાવ માટે દરખાસ્ત કરશે.

કેન્દ્ર સરકારને દરખાસ્ત કરેલ ટેકાના ભાવો
વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવ નક્કી કરવા માટે ડાંગર- 2800 રૂપિયા પ્રતિ કવીંટલ, બાજરી- 3350 રૂપિયા પ્રતિ કવીંટલ, જુવાર – 5500 રૂપિયા પ્રતિ કવીંટલ, મકાઈ- 4500 રૂપિયા પ્રતિ કવીંટલ, તુવેર 9000 રૂપિયા પ્રતિ કવીંટલ, મગ, 9500 રૂપિયા પ્રતિ કવીંટલ, અડદ 9250 રૂપિયા પ્રતિ કવીંટલ, મગફળી 8000 રૂપિયા પ્રતિ કવીંટલ, તલ 11500 રૂપિયા પ્રતિ કવીંટલ, કપાસ 10000 રૂપિયા પ્રતિ કવીંટલ ભાવ નક્કી કરી સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે.

રવી સિઝનમાં ચણા, રાયડો અને તુવેર પાકની ખરીદી કરવામાં આવશે. તુવેર 1400, ચણા 1028, રાયડા 1120 પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરશે. 5 ફેબ્રુઆરીથી ખેડૂતો ઈ સમૃદ્ધી વેબસાઈટ પર નોંધણી કરી શકશે. 29 ફેબ્રુઆરી સુધી નોંધણી કરી શકાશે. 20 ફેબ્રુઆરીથી ખરીદી કરવામાં આવશે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!