આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા
સર્વે વખતે ખેડૂતો સજાગ રહે
મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે અને વરસાદી પાણી ત્રણ દિવસથી ખેતરમાં ભરાયેલા હોવાના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક નાશ પામ્યો છે અને ખેડૂતોને થયેલા નુકસાન નો સર્વે આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશે તેવું મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીએ જણાવ્યું છે…
ઉપરાંત સ્થાનિક જળાશયો પણ ઓવરફ્લો થયા હતા જેથી કરીને ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલા છે અને મોરબી જિલ્લામાં મોટાભાગે ખેડૂતો દ્વારા કપાસ, મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે જેથી કરીને ખેડૂતોને મોટા પ્રમાણમાં મોરબી જિલ્લામાં નુકસાન થયું છે આ બાબતે મોરબી જિલ્લામાં આવેલા રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને થયેલા નુકસાનનો આગામી બે દિવસની અંદર સર્વે શરૂ કરવામાં આવશે અને સરકાર તરફથી તેઓને સહાય મળે તેવી વ્યવસ્થા કરાશે તેવી તેમને માહિતી આપી હતી.