વિઠ્ઠલપરના યુવાનનો અકસ્માત
વાંકાનેર: સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચીને મરણજનાર મજુરને ચોર સમજીને
તા.૧૨-૫-૨૩ ના રોજ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં દશામાઁ ના મંદિરે તેમજ ઈકો ગાડીમાં બેસાડી અલગ-અલગ જગ્યાઓએ તેમજ મચ્છુ નદીના પટમાં
તેમજ વીસીપરાથી લુણસરીયા તરફ જતાં રોડ ઉપર ઢીકાપાટુનો માર મારીને સુતરના દોરાથી તેમજ પ્લાસ્ટિકના પાઈપથી શરીર ઉપર આડેધડ માર માર્યો હતો
તેને લઇને તે યુવાનનું મોત નીપજયુ હતુ.આ અંગેના ગુન્હાની ફરીયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે કલમ ૩૦૨, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૯ તથા૧૩૫ મુજબ
મોહસીનભાઈ કાસમભાઈ અજમેરી તથા અન્ય ૬ આરોપીઓની ધરપકડ કરેલ હતી. આરોપી મોહસીનભાઈ કાસમભાઈ અજમેરીએ મોરબીના
યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ.કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપી મોહસીનને શરતી જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો. આ
કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી.અગેચાણીયા, જે.ડી.સોલંકી, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા અને હીતેશ પરમાર રોકાયેલા હતા.
વિઠ્ઠલપરના યુવાનનો અકસ્માત
વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે રહેતા વિપુલભાઈ ભુપતભાઈ ઝિંઝવાડીયા (૨૦) નામનો યુવાન મોરબી તાલુકાના મકનસર ગામ પાસે હતો ત્યારે
ત્યાં વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર
આપ્યા બાદ યુવાનને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે