વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામની સીમમાં માથકીયા વલીમહમ્મદ ઇબ્રાહિમના કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા યાસીનભાઈ અહમદભાઈ માથકિયાએ વાંકાનેર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસની હદમાં આવેલા રસીકગઢ ગામેથી વાંકાનેર શહેર પોલીસ મથકે ફોન આવ્યો કે ગામની સીમમાં કુવામાં એક લાશ પડી છે. જેના અનુસંધાને વાંકાનેર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા સીમમાં આવેલ કુવામાં એક યુવકની લાશ પડી હતી. જેમને બહાર કાઢવામાં આવી, એ મૃતક યુવાનની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હશે, જેમને કાળા કલરનો શર્ટ પહેરેલ છે, તેના વાલી વારસદારની શોધ ખોળ શરૂ કરવામાં આવી છે. આ કેસની તપાસ વનરાજસિંહ ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.