કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બાઉન્ડરી પાસે થયેલ ખૂન રાજકોટના રાજકુમાર પ્રજાપતિનું ખુલ્યું

પૈસાની લેતી દેતીમાં એમપીના કોન્ટ્રાક્ટરે ખૂન કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગઈકાલે અજાણ્યા યુવાનનો હત્યા કરવામાં આવી હોય તેવા સંકેતો વચ્ચે મૃતદેહ મળી આવવા પ્રકરણમાં વાંકાનેર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના આ બનાવનો ભેદ ઉકેલી નાખી મૃતકની ઓળખ મેળવવાની સાથે હત્યારાને પણ ઓળખી કાઢી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે વાંકાનેર બાઉન્ડ્રી નજીક અવાવરું જગ્યામાંથી એક અજાણ્યા યુવાનને ગળે તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી હત્યા કરવામાં આવી હોય તેવી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.આર. સોનારા, પોલીસ સ્ટાફના હરિશ્ચંદ્રસિંહ સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવા તેમજ હત્યાના આ બનાવનો ભેદ ઉકેલવા પ્રયાસ શરૂ કરી બનાવ સ્થળની આજુબાજુના કારખાનાઓમાં તપાસ શરૂ કરી હતી. 

દરમિયાન તાલુકા પોલીસની ટીમે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામની સીમમાં આવેલ નવા બની રહેલા સેન્ડબેરી ફાયબર નામના કારખાનામા તપાસ કરી મૃતકનો ફોટો દેખાડતા કલરકામનો કોન્ટ્રાકટ ધરાવતા હરપાલસિંહ કલ્લુસિંહ ભદોરીયાએ મૃતકને ઓળખી બતાવી મૃતક રાજકોટ રૈયા ચોકડીએ રહેતો રાજુકુમાર જીવલાલ પ્રજાપતિ હોવાનું જાહેર કરી રાજુકુમારને આગલા દિવસે તેની સાથે જ કામ કરતા આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ મંગલસિંહ રાજપૂત રહે.ભીંડ જિલ્લો મધ્યપ્રદેશ વાળા સાથે પૈસાની લેતી દેતીમાં ઝઘડો થયો હોવાનું જાહેર કર્યું હતું. 

 
વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આ બનાવમાં મૃતક રાજુકુમાર આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકીભાઈ પાસે પૈસા માંગતો હોય જે નાણાં પરત આપવા મામલે બન્ને વચ્ચે આગલા દિવસે રાત્રે ઝઘડો થયો હતો ત્યારે કોન્ટ્રકટર હરપાલસિંહે બન્નેને શાંત પાડી છોડાવ્યા હતા. જો કે, બીજા દિવસે રાજુકુમારને પોતાના વતનમાં જવું હોય આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી સાથે ચોટીલા સાથે ગયો હતો અને પરત વાંકાનેર બાઉન્ડ્રી પાસે પરત આવી જાળીમા કુદરતી હાજતે ગયો હતો ત્યારે જેકીએ ગળે છરીના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. 

જો કે, હત્યાને અંજામ આપી આરોપી જીતેન્દ્રસિંહ ઉર્ફે જેકી પરત જ્યા કામ કરતો હતો ત્યાં આવી ગયો હતો અને કોન્ટ્રાકટર હરપાલસિંહને પોતાની મજૂરીના હિસાબના પૈસા આપી દેવા જણાવી અન્યથા છરી મારી દેવા ધમકી આપી છરી બતાવી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્ય એક શ્રમિકને પણ તેણે રાજુકુમારની હત્યા કરી નાખી હોવાનું જણાવી નાસી ગયો હોવાનું બહાર આવ્યું છે. હાલ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હત્યા મામલે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!