ભીમગુડા, વરડુસર, લુણસર અને સતાપરનો સમાવેશ
વાંકાનેર: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળાઓ તથા 2 સરકારી ઉચ્ચતર માધ્યમિક
શાળાઓ શરૂ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકામાં 4 નવી સરકારી માધ્યમિક શાળા આપવામાં આવી છે. જેમાં ભીમગુડા, વરડુસર, લુણસર અને સતાપર સરકારી માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી છે.