અમરાપર, ટોળ, કોઠારીયા અને ટંકારા ગામના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ખાસ હાજરી આપે
વાંકાનેર: ટંકારા તાલુકાના કિશ્વા લાઈબ્રેરી – અમરાપરની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અમરાપર ગામના સરકારી નોકરી પ્રાપ્ત કરેલ કર્મચારીઓના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. દરેક વિદ્યાર્થી, વાલી અને શિક્ષણ ગણના તમામ લોકોને સેમીનારમાં આવવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવે છે 



આ કાર્યક્રમમાં વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી ગામના યુવાનોનો ઉત્સાહ વધારશો. કાર્યક્રમ તા:- 22/03/2026 રવિવાર રાત્રે ઈશાની નમાઝ બાદ મદ્રસ-એ ગોંષો ખ્વાજા વ રઝા ગ્રાઉન્ડ અમરાપર ખાતે રાખેલ છે, કાર્યક્રમનું આયોજન કિશ્વા લાઈબ્રેરી – અમરાપર દ્વારા કરવામાં આવેલ છે, વધુ વિગત માટે Mo.74058 56256 Mo.96248 04820 ઉપર સંપર્ક કરવો….

