એટ્રોસીટી એક્ટની ફરિયાદ
વાંકાનેર: કારખાનાના કામ બાબતે મનદુઃખ થયેલ હોય જેનો ખાર રાખી ત્રણ જણાએ એક શખ્સને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળ્યા મુજબ અગાઉ કારખાનાના કામ બાબતે મનદુખ થયેલ હોય જેનો ખાર રાખી (૧) હીતેશભાઈ જે બાફીટ કારખાનામાં સોટીંગ માસ્તર તરીકે સુપરવાઇજર છે, એમણે લાકડાના બેટથી તથા દેવજીબાપા રહેવાસી બાફીટ કારખાનામાં સરતાનપર વાળાએ
લોખંડના પાઈપથી તથા અજાણ્યા આરોપીએ કુંડલીવાળી લાકડીથી ફરીયાદી ધીરજભાઇ કાનજીભાઇ ચાવડા જાતે. અનુ.જાતી (ઉ.વ.૪૪) રહે. રૂપાવટી તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર વાળાને માર મારી શરીરે ફેક્ચર ઇજા, મુંઢ ઇજાઓ કરી તેમજ આરોપી નં. ૧ વાળાએ જાતી પ્રત્યે
હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભુંડી ગાળો આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી મે. કલેકટર સાહેબ મોરબીના હથીયારબંધી જાહેર નામાનો ભંગ કરી ગુન્હો બાબતે ફરિયાદ આઇ.પી.સી. કલમ-૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તથા એટ્રોસીટી એક્ટ
કલમ-૩(૧)(આર)(એસ), ૩( ૨)(૫-એ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ થઇ છે. પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે.