કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

આવતી કાલે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

 શ્રી કષ્ટભંજન હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમની વિગત

વાંકાનેર: મંગળવાર, તા:૨૩/૧૨/૨૦૨૫ના શ્રી ગંગેશ્વર મહાદેવ સેવા સમિતિ અને શ્રી ગંગેશ્વર મહાદેવ મિત્ર મંડળ આયોજિત શ્રી કષ્ટભંજન હનુમાનજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, વધુ વિગત નીચે મુજબ છે….

ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?

ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ

પ્રથમ દિવસ તા:૨૩/૧૨/૨૦૨૫

સવારનું સત્ર : સમય સવારે ૮:૦૦ થી ૧૨:૦૦
દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિત, મંડપ્ પ્રવેશ, શ્રી ગણપતિ પૂજન, પુણ્યાહ્વાચન, પૈયાંગકર્મ, સ્થાપિત દેવતા પૂજન, અગ્નિ સ્થાપન, ગ્રહ હોમ.
બપોરનું સત્ર : સમય બપોરે ૩:૦૦ થી ૬:૦૦
જલયાત્રા, ધાન્યાધીવાસ, સ્થાપિત દેવતા સાયં પૂજા, આરતી.
રાસ ગરબા : સમય રાત્રે ૯:૦૦ કલાકે

બીજો દિવસ તા:૨૪/૧૨/૨૦૨૫
સવારનું સત્ર : સમય સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ .
સ્થાપિત દેવતા પ્રાતઃ પુજન, પ્રાસાદ વાસ્તુ, કુટિર હોમ, શાંતિ પુષ્ટિ હોમ.
બપોરનું સત્ર : સમય બપોરે ૩:૦૦ થી ૬:૦૦ •
નગરયાત્રા, શૈયાધિવાસ, સ્થાપિત દેવતા સાયં પૂજા, આરતી.
સંતવાણી : સમય રાત્રે ૯.૩૦ કલાકે •

ત્રીજો દિવસ તા:૨૫/૧૨/૨૦૨૫
સવારનું સત્ર : સમય સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ •
સ્થાપિત દેવતા પ્રાતઃ પુજન, મહા સ્નપન વિધિ, મૂર્તિન્યાસ, પ્રાણ પ્રતિષ્ઠા, મહાપૂજા, અભિષેક, મૂર્તિસ્થાપના (અભિજીત મુહૂર્ત માં), શિખર પુજન, ધ્વજારોહણ,
બપોરનું સત્ર : સમય બપોરે ૩:૦૦ થી ૬:૦૦ . પ્રતિષ્ઠા હૌમ, ઉત્તર કર્મ, પૂર્ણાહુતિ, મહાઆરતી.
સાધુ સંતો, આમંત્રિત મહેમાનો તથા દાતાશ્રીઓનું શાહી સન્માન : બપોરે ૪:૦૦ કલાકે •

મહાપ્રસાદ : તા.૨૫/૧૨/૨૦૨૫ સાંજે ૬:૩૦ કલાકે, રાજગોર સમાજની વાડી ભાટીયા સોસાયટી.
સંપર્ક સૂત્ર : ૯૫૮૬૯ ૮૪૪૪૫, ૮૫૩૦૨ ૧૨૩૪૪ .

Content Copying Forbidden !!

error: Content is protected !!