વાંકાનેર- ટંકારા ન્યાયાધીશોની અરસપરસ અને જ્યોતિ બુદ્ધ મોરબી મુકાયા






ગુજરાતની વિવિધ અદાલતમાં કાર્યરત ન્યાયાધીશો બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જીલ્લામાં પણ ન્યાયાધીશોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના ચોથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ & એડિશનલ સિનિયર સિવિલ તરીકે જ્યોતિ વીરત બુદ્ધની નિમણુંક કરવામાં આવી છે.
જયારે વાંકાનેર કોર્ટના ન્યાયાધીશ એસ. કે. પટેલની ટંકારા ખાતે અને ટંકારાથી ન્યાયાધીશ એન.સી.જાધવની વાંકાનેર ખાતે એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના પદે નિયુક્તિ કરાઈ છે.