ભરવાડને ૬૦,૦૦૦ થી ૬૫,૦૦૦ થી વધારેનુ આર્થીક નુકશાન
ટંકારા: તાલુકાના ધ્રુવનગરનો પશુ પાલક પોતાના ઘેટાં/ બકરા લઇ હાઇવે પર જતો હતો, ત્યારે એક ટ્રક ચાલકે હડફેટે લેતા ૨૧ ઘેટા તથા એક બકરીનું મોત નિપજતા ફરિયાદ થઇ છે….



જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના ધ્રુવનગરમાં રહેતા સામંતભાઈ જીવણભાઇ ઝાપડા જાતે-ભરવાડ (ઉ.વ.૪૩) એ ફરિયાદ કરી છે કે સવારે સવરના સાડા આઠેક વાગ્યે પોતે આશરે ૧૦૦ જેવા ઘેટા/બકરા લઈને ગામની સીમમાં ચરાવવા માટે નીકળેલ ત્યારે આરોપી રૂપલાલ શ્રીહુલાસ સાઓ રહે-ઝારખંડ વાળાએ પોતાના હવાલાવાળો ટાટા કંપનીના ટ્રેક રજી. નંબર- GJ-0 3-BY-7167 વાળો પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ ઉપર પોતાના ટ્રકનુ સંતુલન નહી જાળવી આ ઘેટા બકરાને હડફેટે લેતા ફરીયાદીના ઘેટા બકરા માંના નંગ ૨૧ ઘેટા તથા નંગ ૧ બકરીને હડફેટે લેતા કુલ ઘેટા બકરા નંગ ૨૨ મરણ ગયેલ હોય તથા બાકીના નંગ ૨૩ ઘેટા તથા નંગ ૧ બોકડાને આમ કુલ ૨૪ નંગ ઘેટા બકરાને નાની મોટી ઇજાઓ કરી અપંગ કરી અકસ્માત કરી ફરીયાદીને આશરે ૬૦,૦૦૦ થી ૬૫,૦૦૦ થી વધારેનુ આર્થીક નુકશાન કરેલ છે. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીતાની-૨૦૨૩ કલમ-૨૮૧,૩૨૫ એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…

