કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રૂપાવટી ગામે મંગળવારના લોકડાયરાનું આયોજન

ધજારોહણ, દેગ ચઢાવવી તેમજ ભવ્ય લોકડાયરો યોજાશે

વાંકાનેર: તાલુકાના રૂપાવટી ગામ ખાતે શ્રી રામાપીરના મંદિર ખાતે આગામી ભાદરવા સુદ 10 ને તા. 2-9-2025 ને મંગળવારના રોજ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. 2ના રોજ ધજા તેમજ દેગ ચડાવવામાં આવશે. આ ઉપરાંત રામામંડળની સાથે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં સંતો મહંતોના સામૈયા કરાશે તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ ધાર્મિક પ્રસંગે મહંત ભરતદાસજી મહારાજ શ્રી રઘુનાથજી મંદિર વાંકાનેર, શ્રી વિસામણબાપુની જગ્યા પાળીયાદ, મહંત દુર્ગાદાસજી મહારાજ લાલજી મહારાજની જગ્યા સાયલા, મહંત હરીરામ બાપુ સતરંગની જગ્યા તથા શ્રી રામદેવપીર મંદિર – રૂપાવટી સહિતના સંતો મહંતો મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.


રાત્રિના ભવ્ય લોકડાયરામાં સેજલબેન ગોંડલીયા (ભજનીક), ઝોરૂભાઈ ડોડીયા (હાસ્ય કલાકાર), વર્ષાબેન તલસાણીયા (ભજનીક), રાજુભાઈ સાકરીયા (ભજનીક)સહિત નામી કલાકારો સુરાવલી રેલાવશે. તો આ ધાર્મિક પ્રસંગે ધર્મપ્રેમી પ્રજાજનોને શ્રી રામદેતપીરના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા પધારવા સમસ્ત રૂપાવટી ગ્રામજનો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!