અલગ અલગ બે બનાવમાં બાળકી અને યુવાનના અપમૃત્યુ
વાંકાનેર : તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભાવેશભાઇ મકવાણાની પુત્રી કિંજલબેન તેમની વાડીએ રહેણાંક મકાન પાસે રમતી હતી
ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા 13 વર્ષની કિંજલબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
રાતાવીરડા ગામે તળાવમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ
વાંકાનેર : તાલુકાના રાતાવીરડા ગામે રહેતા જગદીશભાઇ ભુરાભાઇ જોશી ઉ.22 નામના યુવાનનું ગણેશ વિસર્જન સમયે તળાવમાં ડૂબી જવાથી
મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ