૪૭ અધિકારીઓને ડીવાયએસપી તરીકે પ્રમોશન
રાજ્ય સરકાર દ્વારા આજે ૪૭ અધિકારીઓને ડીવાયએસપી તરીકે પ્રમોશન સાથે નિમણુક આપવામાં આવી છે સાથે જ પાંચ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી ડીવાયએસપી પી એ ઝાલાની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે અને મોરબી જીલ્લામાં બે નવા ડીવાયએસપીને નિમણુક આપવામાં આવી છે.

મોરબીના ડીવાયએસપી પી એ ઝાલાની નાયબ પોલીસ અધિક્ષક (ઈન્ટેલીજન્સ) રાજકોટ રીજીયન ખાતે બદલી કરવામાં આવી છે જયારે જે એમ આલની વિભાગીય પોલીસ અધિકારી મોરબી ખાતે નિમણુક કરવામાં આવી છે અને કે પી પરમારની નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક મોરબી ખાતે નિમણુક કરવામાં આવી છે.
