વાંકાનેર: તાલુકાના ધમલપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારકનું આયોજન આવતા ગુરુવારે કરવામાં આવેલ છે.
દર રમજાન મહિનાના પછીના મહિનામાં આવતી અગિયારમીએ ત્યાં ઉર્ષ ઉજવાય છે. ગુરુવારે આમ ન્યાઝ તકસીમ થશે અને આવતા બુધવારના રાતના ઈશાની નમાઝ બાદ સંદલ ચઢાવવામાં આવશે, અકીદતમંદોને હાજર રહેવા કમિટી તરફથી જાહેર આમંત્રણ પાઠવેલ છે.