કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ઉત્તરાંચલ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ

અજમેર અને હરિદ્વાર જવા-આવવા મળશે સુવિધા

સાંસદ મોહનભાઈ કુંડારિયા 4 સપ્ટેમ્બરે ટ્રેનને લીલી ઝંડી બતાવી કરશે સ્ટોપેજ નું શુભારંભ

મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના વાંકાનેર સ્ટેશન પરના સ્ટોપેજનું 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ વાંકાનેર સ્ટેશન પર સવારે 07.00 કલાકે આયોજિત કાર્યક્રમમાં લીલી ઝંડી બતાવી શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 19566 દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ 4 સપ્ટેમ્બર, 2023 થી વાંકાનેર સ્ટેશને દર સોમવારે સવારે 07.28 વાગ્યે આવશે અને સવારે 07.30 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19565 ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 8 સપ્ટેમ્બર, 2023 થી વાંકાનેર સ્ટેશને દર શુક્રવારે બપોરે 15.29 કલાકે આવશે અને 15.31 કલાકે ઉપડશે.

વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

 

Content Copying Forbidden !!

error: Content is protected !!