કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે વંદેભારત ટ્રેન

જૂનથી પ્રારંભ: સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજુઆતને સફળતા

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા જ હવે સૌરાષ્ટ્રને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે અને તમો હાલ દેશમાંજ લોકપ્રિય થયેલી વંદેભારત ટ્રેન જૂન માંજ રાજકોટ-મુંબઈ વચ્ચે દોડે તેવી શકયતા છે. સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયાએ એક વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે રેલવેના ડિવિઝનલ મેનેજર સાથે તેઓએ આ અંગે ચર્ચા કરી હતી 
 
અને જૂનથી રાજકોટને વંદેભારત ટ્રેન ફાળવવામાં આવશે તેવી શકયતા છે અને તેમાં સૌપ્રથમ અમદાવાદ-મુંબઈ વચ્ચે જે વંદેભારત ટ્રેન દોડે છે તેને રાજકોટ સુધી લંબાવાશે તેના પર હાલ શેડયુલ ગોઠવાશે. શ્રી કુંડારીયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વંદે ભારત ટ્રેનનો ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ રાજયોમાં પ્રારંભ કરાયા છે. આ ટ્રેન ખૂબ જ લોકપ્રિય સાબીત થઈ છે. ટ્રેન ઝડપી અને સુવિધાસભર છે અને હવે તેનો લાભ સૌરાષ્ટ્રને પણ મળશે. 

Content Copying Forbidden !!

error: Content is protected !!