WHO પણ ચિંતામાં: આ વાયરસની કોઇ રસી શોધાઇ નથી
આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં જોવા મળ્યો: હજારો લોકોને કરાયા ક્વોરન્ટાઇન

આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં ભયાનક વાયરસ જોવા મળ્યો છે અને તેના કારણે હજારો લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. મારબર્ગ વાયરસ નામના આ વાયરસથી WHO ની પણ ઉંઘ ઉડી ગઇ છે.
લોકોને વોરન્ટાઇન કરાયા
ઇક્વેટોરિયલ ગિનીમાં થોડા દિવસ પહેલા કેટલાક લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા અને તેના થોડા દિવસો પછી તેમાંથી 9 લોકોમાં સમાન રોગના લક્ષણો દેખાયા હતા અને પછી મૃત્યુ પામ્યા હતા. જો કે, ગિનીના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે જે બે ગામોમાં લોકોમાં આ સંક્રમણ હોવાનું જાણવા મળ્યું છે. હાલ માટે ત્યાં જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નવી માહિતી અનુસાર જે લોકો ચેપગ્રસ્ત લોકોના સીધા સંપર્કમાં છે, તેઓ પણ ક્વોરેન્ટાઇનનું પાલન કરી રહ્યા છે. હાલમાં 16 લોકો શંકાસ્પદ છે અને લગભગ 4 હજાર 300 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

લોકોમાં ભય
કોરોનાએ આખી દુનિયાને જણાવી દીધું છે કે વાયરસના ચેપનો ડર શું છે. વર્ષ 2019 ના છેલ્લા મહિનાઓથી શરૂ કરીને આખા વિશ્વને ઘેરી લેનાર આ વાયરસનો ભય અને પછીની અસરો હજી પૂરી રીતે સમાપ્ત થઈ નથી કે મારબર્ગ વાયરસે આફ્રિકન દેશોમાં હાહાકાર મયાવ્યો છે. જો કે આ વાયરસ નવો નથી અને ભૂતકાળમાં પણ તેના સંક્રમણના સમાચારો આવતા રહ્યા છે. પરંતુ આ વખતે જે રીતે તેનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેનાથી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની ઉંઘ હરામ થઈ ગઈ છે.
મૃત્યુ દર 88 ટકા છે
મારબર્ગ વાયરસ વિશે સૌથી ભયાનક બાબત એ છે કે તેનાથી સંક્રમિત લોકોમાં મૃત્યુ દર 88 ટકા સુધી છે. એટલે કે 100 લોકોમાંથી 88 લોકોનો જીવ બચાવવો લગભગ અશક્ય છે. મારબર્ગ વાયરસ ચેપ અને તેના લક્ષણો વિશે વાત કરતા વૈજ્ઞાનિકો કહે છે કે મારબર્ગ એ જ Filniridae કુટુંબનો વાયરસ છે, જેમાંથી ઇબોલા વાયરસ આવે છે. અને તે મુખ્યત્વે ચામાચીડિયા દ્વારા ફેલાય છે.

મારબર્ગ વાયરસના લક્ષણો શું છે?
- તાવ (2) ભયંકર માથાનો દુખાવો (3) લોહીની ઉલટી (4) ઝાડા સાથે રક્તસ્ત્રાવ (5) નાકમાંથી રક્તસ્ત્રાવ (6) તીવ્ર સાંધામાં દુખાવો (7) ભારે થાક અને નબળાઇ
હાલમાં તેની કોઇ રસી નથી
તાજેતરના વાયરસ ચેપ વિશે વાત કરતા વૈજ્ઞાનિકો કહે છે કે ઇક્વેટોરિયલ ર્ગિનીમાં ફેલાતો મારબર્ગ વાયરસ ચેપ વર્ષ 2004-05 પછી આ વાયરસની સૌથી ઝડપી ફેલાવો છે. છેલ્લા 10 વર્ષોમાં, આ વાયરસના ચેપના માત્ર થોડા જ કેસ નોંધાયા છે. જો કે, વર્ષ 2004-05માં, અંગોલામાં 252 લોકો આ વાયરસથી સંક્રમિત થયા હોવાનું નોંધાયું હતું, જેમાંથી 227 લોકોના મોત થયા હતા. આ વાયરસ ઇબોલા જેવો ખતરનાક માનવામાં આવે છે અને તે ખુબ જ ઝડપથી ચેપ ફેલાવી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે હજુ સુધી આની કોઇ રસી ઉપલબ્ધ નથી.
મારબર્ગ વાયરસની સારવાર શું છે?
મારબર્ગ વાઇરસની તપાસ અને સારવાર અંગ વૈજ્ઞાનિકો કહે છે કે ઘણા કિસ્સાઓંમાં આ વાઇરસના લક્ષણોને મલેરિયા, ટાઇફોઇડ તાવ, શિગલોસિસ, મેનિન્જાઇટિસ અને અન્ય ચેપી તાવથી અલગ પાડવું મુશ્કેલ બની શકે છે; જેમાં શરીરમાંથી રક્તસ્રાવ શરૂ થાય છે. એટલા માટે આ વાયરસને તપાસવા માટે એન્ટિજૈન ડિટેક્શન ટેસ્ટ, સીરમ ન્યુટ્રાલાઇઝેશન ટેસ્ટ, RT-PCR અને સેલ ક્લચર મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. પુષ્ટિ થયા પછી, લક્ષણોના આધારે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને દર્દીને પ્રવાહી આહાર, ગ્લુકોઝ વગર આપીને ડિહાઇડ્રેશન અટકાવવાના પ્રયાસો કરવામાં આવે છે.