કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સિંધાવદર પાસેનો જર્જરિત બ્રિજ રીપેર ક્યારે થશે?

શુક્રવારે ઔદ્યોગિક ભરતીમેળો

વાંકાનેર: સિંધાવદર પાસે જર્જરિત બ્રિજના સમારકામમાં વિલંબથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જે બ્રિજ ઉપરથી ડાયવર્ઝન અપાયું ત્યાં સતત ટ્રાફિક રહે છે. જેથી જર્જરીત બ્રિજનું રિપેરીંગ કામ વહેલાસર શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી છે.

વાંકાનેરના સિંધાવદર પાસે રાજકોટને જોડતા માર્ગ ઉપરનો બ્રિજ જર્જરીત હાલતમાં હોય થોડા સમય પૂર્વે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજ બંધ કર્યા બાદ જે સ્થળે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે કોઝવે પર અવાર નવાર ટ્રાફિકજામ થાય છે. જેને કારણે અકસ્માતનો ભય રહે છે. બીજી તરફ જર્જરિત બ્રિજનું હજુ સુધી સમારકામ શરૂ કરવામાં આવ્યું નથી. માત્ર બ્રિજ બંધ કરી દઈ તંત્ર દ્વારા સંતોષ માની લેવાયો છે. હજારો વાહનોની અવર જવરને ધ્યાને લઈ તાકીદે મુખ્ય બ્રિજનું સમાર કામ કરી બ્રિજ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે…

શુક્રવારે ઔદ્યોગિક ભરતીમેળો

વાંકાનેર : રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૨૨/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર – રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી/ એચએસસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!