વાંકાનેર: રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વાંકાનેરમાં રહેતી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. હૃદયરોગના હુમલાનો ખતરો વધતાં લોકો અને તંત્રમાં ચિંતા પ્રસરી છે.
વાંકાનેરમાં રહેતી સોફીયાબેન સિકંદરભાઈ મીર નામની 38 વર્ષની પરિણીતા કોઠારીયા ગામે રહેતા તેના પિતાના ઘરે હતી, ત્યારે બેભાન
હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે તેણીનું હૃદયરોગના
હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારજનોમાં માતમ છવાયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક સોફીયાબેન મીરને પાંચ દિવસ પૂર્વે
પેરેલીસીસનો હુમલો આવતાં વાંકાનેરથી રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી અને રજા અપાતા પિતાના ઘરે રોકાઈ હતી.