જીલ્લામાં 7 અધિકારી-11 પોલીસ કર્મચારીની બદલી
મોરબીમાં જીલ્લામાં એક પછી એક સફળ રેડ એસએમસીની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે જેથી જીલ્લામાં ગુનાખોરીને ડામવા માટે વારંવાર બદલીઓ કરવામાં આવે છે તેવી જ રીતે હાલમાં ગુજરાતનાં પોલીસ વડાએ તાજેતરમાં એક પીઆઇ અને એક હેડ કોન્સટેબલને સસ્પેન્ડ કરેલ છે ત્યાર બાદ એસપી દ્વારા 7 પીએસઆઈ અને 11 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવેલ છે…
મોરબી જીલ્લામાં હાલમાં જે 7 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. તેમાં એમ.જે.ધાંધલની હળવદ, પી.આર.સોનારાની એલઆઈબી મોરબી, જે.એલ.ઝાલાની વાંકાનેર સિટી, ડી.વી.કાનાણીની હળવદ, કે.એચ.અંબારિયાની હળવદ, બી.એ.ગઢવીની બી ડિવિઝન,
એસ.વી.સામાણીની બી ડિવિઝનમાં બદલી કરી છે જયારે પોલીસ કર્મચારીઓમાં વિજયકુમાર સુખાભાઈ ડાંગરની વાંકાનેર તાલુકા, જનકસિંહ બટુકભા પરમારની વાંકાનેર સિટી, કિશોરકુમાર મુળજીભાઈ દાવાની ટંકારા, વનરાજભાઈ કાનાભાઈ ચૌહાણની હળવદ, રવિરાજ શક્તિસિંહ પરમારની માળિયા (મી), મયુર જલાભાઈ ચાવડાની હળવદ, વિજયકુમાર દેવદાનભાઈ સવસેટાની વાંકાનેર સિટી, લકીરાજ ચંદુલાલ લોખીલની હેડ ક્વાર્ટર, પ્રફુલકુમાર જેઠાભાઇ પરમારની વાંકાનેર સિટી, અશોક રત્નાભાઇ શારદિયાની ટંકારા તથા વિજયભાઈ પરબતભાઇ ચાવડાની હળવદ બદલી કરવામાં આવી છે…