નવી દિલ્હી: દેશના પુર્વેના રાજય ત્રિપુરામાં આગામી તા.16ના રોજ ધારાસભ્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. તે પુર્વે ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી સિતારામ યેચુરીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું કે રાજયમાં અર્ધલશ્કરી દળોના બદલે ગુજરાત પોલીસના જવાનને તૈનાત કરવામાં આવ્યા છે જે ખોટુ છે.
છેક ઉપરાંત આસામ પોલીસ પણ તૈનાત માટે શ્રી યેચુરીએ આ અંગે ચૂંટણીપંચને પત્ર લખી તાત્કાલીક ગુજરાત પોલીસને હટાવવા અને અર્ધલશ્કરી દળો ગોઠવવાની સૂચના આપવા માંગ કરી છે. રાજયની પોલીસ બીજા રાજયમાં ચૂંટણી ફરજ પર મુકવી એ ખૂબ જ અસામાન્ય ઘટના હોવાનું તેઓએ જણાવતા ઉમેર્યુ કે બેલેટપત્રના મતદાનમાં પણ જબરી ગોલમાલ કરવામાં આવી રહી છે.
તેઓએ જણાવતા ઉમેર્યુ કે બેલેટપત્રના મતદાનમાં પણ જબરી ગોલમાલ કરવામાં આવી રહી છે અને ચૂંટણી પરિણામને પ્રભાવીત કરવા માટે જ છેક ગુજરાતથી પોલીસને અહી તૈનાત થઈ છે. રાજકીય 60 બેઠકોની ધારાસભા ચૂંટણીમાં હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહી બે સભાઓને સંબોધન કરી રહ્યા છે તથા ભાજપના અન્ય નેતાઓએ પણ કેમ્પ કર્યા છે.