કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2

વાંકાનેર રાજને પણ અહીં આવવું પડે છે. સીંધાવદર, અરણીટીંબા, ખેરવા, વિગેરે ગામના દરબારો છેડા-છેડી છોડવા આવે છે

પાળિયાઓમાં જેમાં હાથના નિશાન છે, તે સ્ત્રીઓના અને બીજા પાળિયા ભરવાડો, કોળીઓના છે, તેનાં વંશજો હાલમાં તેમને પૂજે છે. કન્યાશાળાના ઉગમણે એક ખાંભી ઢોલીની છે.

દિકરાના લગ્ન થાય, પછી વરઘોડિયાની છેડાછેડી ડાડાની પારીએ છૂટે છે. વાંકાનેર રાજને પણ અહીં આવવું પડે છે. સીંધાવદર, અરણીટીંબા, ખેરવા, વિગેરે ગામના દરબારો છેડા-છેડી છોડવા અને પૂજવા આવે છે. દિકરાના લગ્નમાં સવા પાંચ શેર ચોખા તથા શ્રી ફળ રાંધીને વધેરાય છે. ત્યાર બાદ જ પરણવા માટે ફૂલેકે ચઢે છે. 

દર વર્ષની કાળી ચૌદશનાં દિવસે રાતીદેવરીના ઘર દીઠ સવા પાંચ શેર ચોખા લઇ અને માણસની સંખ્યા પ્રમાણે રાંધી શ્રી ફળ સહિત ડાડાને પ્રસાદ ધરાવાય છે અને લેવાય છે. વધેલા ચોખા વર્ષમાં ગમે ત્યારે રાંધીને ખાઇ શકાય છે. 

દિકરાના લગ્ન બાદ પહેલા દિકરાનો જન્મ થાય ત્યાર બાદ સવા મહિના પછી માથાબોળ સ્નાન કર્યા પછી ડાડાના સવા પાંચ શેર ચોખા અને શ્રી ફળ વધેરીને દિકરાને પગે લગાડાય છે. જે પ્રથા હાલમાં પણ ચાલુ છે. વડીલોના કહેવા પ્રમાણે રાતીદેવરી પર હુમલો કરનાર નાગડાવાસના હતા અને આજે પણ તેમની સાથે દિકરા કે દીકરીનો વહેવાર થતો નથી.  

હાલમાં ઝાંપા સામે કન્યાશાળા પાસે પાળિયા છે, તે પાળિયાઓમાં જેમાં હાથના નિશાન છે, તે સ્ત્રીઓના અને બીજા પાળિયા ભરવાડો, કોળીઓના છે અને તેનાં વંશજો હાલમાં તેમને પૂજે છે. કન્યાશાળાના ઉગમણે એક ખાંભી ઢોલીની છે. રાતીદેવરી ફરતો અગાઉ ગઢ હતો. હાલમાં ચોરા પાસેથી જે ગઢનીશરૂઆત થતી અને મોમીનોના ઘર હાલમાં આવેલા છે, ત્યાં દરબારગઢ હતો. દરબારગઢમાં બધા દરબારોના કુટુંબો રહેતા હતા. પરંતુ ત્યાં સંતાનોનો ઉછેર થતો ન હતો. એક જાણકાર જયોતિષીના કહેવા અનુસાર દરબારોએ રહેણાંક ફેરવ્યું અને હાલમાં જયાં દરબારો રહે છે, ત્યાં રહેણાંક શરૂ કર્યું.

હાલમાં રાતીદેવરીમાં દરબારોના ૩૬ જેટલા ઘરો છે અને બહારગામ વાંકાનેર, મોરબી, રાજકોટ, ગોંડલ, બંગાવડી, પોરબંદર વગેરે ગામોમાં નોકરી-ધંધા માટે ૩૬ થી પણ વધારે ઘરો છે. પોલીસખાતા, વનખાતા, વિદ્યુત બોર્ડ વગેરે સરકારી ખાતામાં અને અન્ય બીઝનેસ સાથે સંકળાયેલા છે.

માહિતી સ્ત્રોત: જયદીપસિહં ઝાલા -રાતીદેવરી. Mo: 96876 63032

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!