વાંકાનેર: પ.પુ.ડો શ્રી નિરંજનમુનિ મા સાહેબ તેમજ પ.પુ.શ્રી ચેતનમુનિ મા. સાહેબની પ્રેરણા અજરામર એક્ટિવ અસોર્ટ (AAA GROUP) વાંકાનેર ગ્રુપ દ્વારા વાંકાનેરના 3 અલગ અલગ સ્થળોએ જરૂરિયાતમંદ લોકોને દિવાળી પર્વ આવતું હોય તેઓ પણ દિવાળી પર્વને યાદગાર
રીતે ઉજવી શકે તે હેતુથી તેઓને 30 થી વધુ જોડી બાળકો માટે નવા કપડા, 11 ટીશર્ટ ટ્રેક પેન્ટ, અલગ અલગ જાતના રમકડા અને મોટાઓ માટે ઘરના કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેની સાથે આ વર્ષની દિવાળી પર્વની સાર્થક તેમજ પ્રેરણારૂપી ઉજવણી કરવામાં આવી
આ તકે આ કાર્યમાં સહભાગી થનાર તમામ ગ્રુપ સભ્યો તેમજ આ સેવાકાર્યમાં દાતાશ્રી દ્વારા પણ મળેલ સુંદર સહયોગ બદલ તેઓનો સંસ્થા ખુબ ખુબ આભાર માને છે…