વાંકાનેર શહેર ખાતે ગઈ કાલે હ. ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ આયોજીત સાતમા સુન્ની મુસ્લિમ સમાજના સમૂહલગ્નમાં અગીયાર જેટલા દુલ્હા-દુલ્હનો નિકાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. આ તકે ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના સામાજિક-રાજકીય આગેવાનો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા….

આ સમુહ લગ્નમાં જોડાયેલા તમામ અગીયાર દિકરીઓને દાતાના સહયોગથી કરિયાવરની ભેટ આપવામાં આવી હતી. તેમજ જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખુરશીદહૈદર પીરજાદા ઉર્ફે મીર સાહેબ, મહંમદજાવેદ પીરઝાદા, વાંકાનેર એપીએમસી ચેરમેન ગુલામભાઇ પરાસરા, વા. ચેરમેન નાથાભાઈ ગોરિયા, ઈરફાન પીરઝાદા, વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જશુભાઇ ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ કુંભાણી, સીએ ઝાહિદ ગઢવારા, મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડો. રૂકમુદીન માથકીયા, વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
