વાંકાનેર: અહીંના રહેવાસી વીણાબેન યોગેશભાઈ સંઘવી તથા તેમના પરિવારના સભ્યોનો અનોખો સેવા યગ્ન કરી રહ્યા છે….
છેલ્લા ૨ વર્ષ થી દરરોજ સવારે સરકારી હોસ્પિટલમાં સારવારમાં આવેલ દર્દીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને નિસ્વાર્થ ભાવે ઘરનું ભોજન કરાવવામાં આવે છે, તેમજ હોસ્પિટલમાં આવતા લોકોને અન્ય કોઈ પણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો તે પણ પૂરી પાડવામાં આવે છે…
તેમજ તેમના પુત્ર વિશાલભાઈ યોગેશભાઈ સંઘવી છેલ્લા ૧૫ વર્ષથી વિના મૂલ્યે હોસ્પિટલના સાધનો (પલંગ, લેટરીન ખુરશી, વોકર, એર ગાદલું) વગેરેની જરૂરિયાત હોય તેવા લોકોને પહોંચાડી અનોખો પુરુષાર્થ કરી રહ્યા છે….

