કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

વાડાની જમીન ધરાવતો શખ્સ ખેડૂત જ છે

ભલે પછી વાડામાં વાવેતર ન થતું હોય

વાડાની જમીનને ખેતીની જમીન ગણવા હુકમ ફરમાવતા રાજકોટ કલેકટર

વાડાની જમીન સંબંધે ખેડૂત ખાતેદારનો ખરાઈનો ખાતેદારનો દાખલો માન્ય

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બળધોઈ ગામની હકકપત્રકની દાખલ થયેલ વેચાણ વ્યવહારની નોંધ કરવા સંબંધે અરજદાર રતિલાલ ટીટીયા દ્વારા અરજી કરવામાં આવેલ હતી.જેમાં ખાતેદાર ખરાઈનો દાખલો રજુ ન કરતા વેચાણની નોંધ રદ થતા અરજદાર દ્વારા જસદણ નાયબ કલેકટર દ્વારા અપીલ દાખલ કરવામાં આવેલ હતી. અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ હતી.

પોતે તાલાલાના આંબળાસ ગામે પોતાની જમીન ધરાવે છે. જે જમીનો વાડાની જમીન સંયુકત ખાતે હોવાથી અને 7,12ની ખરાઈ કરતા જમીનમાં વાવેતર થતું ન હોય માત્ર વાડા તરીકે જમીનનો ઉપયોગ થતો હોવાથી અરજદારને ખેડૂત ખાતેદાર ગણી શકાય નહી તેવો નિર્ણય નાયબ કલેકટર જસદણ દ્વારા કરવામાં આવેલ. રાજકોટના કલેકટર સમક્ષ બોમ્બે લેન્ડ રેવન્યુ જોગવાઈ મુજબ અપીલ/રીવીઝન દાખલ કરવામાં આવેલ હતી…

જે અરજી ચાલી જતા અરજદારના એડવોકેટની રજુઆત ધ્યાને લઈ જેવી કે સૌરાષ્ટ્ર લેન્ડ રીફોર્મસ એકટ 1951ના પ્રકરણ એકમાં કલમ-2માં થયેલ ખેતીની જમીનની વ્યાખ્યામાં કઈ કઈ જમીન આવી શકે તેની કાયદાકીય વિગતો રજુ કરતા તેમજ લેન્ડ રેવન્યુ કોડની કલમ-16/17/25 માં દર્શાવ્યા ખાતેદાર ખાતુ અને સહ ખાતેદારની વ્યાખ્યાને લઈ કલેકટર દ્વારા નાયબ કલેકટરનો હુકમ રદ કરી અરજદારની રીવીઝન અરજી મંજુર કરેલ હતી. આ કામમાં અરજદાર તરફે એડવોકેટ આનંદ બી.જોષી જતીન વી.ઠકકર અતુલ મહેતા, વિજય ભટ્ટ, સંદિપ ડી. પાનસુરીયા, હિત અવલાણી, દેવાંગ વિ.ભટ્ટ તથા નયન વડગામા સહાયક તરીકે રોકાયેલા હતા.

કમલ સુવાસના સમાચાર મેળવવા માટે બીજાનાં નંબર મોકલી Ad કરવાનું કોઈએ જણાવવું નહીં, જેમને સમાચાર મેળવવા હોય એમણે Join થવાનું હોય છે 

Content Copying Forbidden !!

error: Content is protected !!