વાંકાનેર: વિસ્તારમાં વસતા કડીવાર કુટુંબ (દાદી વાળા) ના તેજસ્વી વિદ્યાર્થીઓ, નવી સરકારી નોકરી મેળવતા કર્મચારીઓ, નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓ તેમજ હાજી સાહેબોનો સન્માન કાર્યક્રમ યોજવાનું નક્કી થયેલ છે, વધુ વિગત નીચે મુજબ છે….




દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કડીવાર કુટુંબના તેજસ્વી વિદ્યાર્થીઓનો, નવી સરકારી નોકરી મેળવતા કર્મચારીઓનો, નિવૃત્ત થતા સરકારી કર્મચારીઓનો તેમજ હાજી સાહેબોનો સન્માન કાર્યક્રમ યોજવાનું નક્કી થયેલ છે જેના અનુસંધાને નીચેની સૂચનાઓનું પાલન કરવું…
હજ-2024 માં હજ પડવા ગયેલ હાજી સાહેબોના તથા હાજીયાણીઓના સન્માન માટે નામ, સરનામું તથા મોબાઈલ નંબર આપવાના રહેશે * ચાલુ વર્ષે સરકારી નોકરી મેળવનારે નિમણૂંક ઓર્ડર ની ઝેરોક્ષ પાછળ નામ, સરનામું, મોબાઈલ નંબર , નોકરીની વિગતો, હોદ્દો, પોસ્ટિંગ સ્થળ,વગેરે વિગતો સાથે લખીને આપવી. * ચાલુ વર્ષે સરકારી નોકરીમાંથી નિવૃત થનાર એ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર ની માહિતી આપવાની રહેશે. * વિદ્યાર્થીઓના સન્માન માટેની લાયકાત નીચે મુજબની રહેશે
S.S.C 85% થી વધુ ગુણ મેળવનાર
H.S.C.-સામાન્ય પ્રવાહ 80% થી વધુ ગુણ મેળવનાર
H.S.C.- વિજ્ઞાન પ્રવાહ 70%થી વધુ ગુણ મેળવનાર
H.S.C.- વિજ્ઞાન પ્રવાહ નીટ માં 500 કે તેથી વધુ ગુણ મેળવનાર
H.S.C.- વિજ્ઞાન પ્રવાહ ગુજકેટ માં 90 કે તેથી વધુ ગુણ મેળવનાર
graduate-60%થી વધુ ગુણ મેળવનાર
B.ed/M.ed, post graduate,-પાસ થનાર
Medical,pera medical, nurshing-પાસ થનાર
Engineering degree/diploma- પાસ થનાર
વિશિષ્ટ લાયકાત -પાસ થનાર આ ઉપરાંત આલીમ તથા હાફીઝ ની લાયકાત મેળવેલ હોય તેવા કુટુંબના ભાઈઓ અને બહેનો એ પોતાના માર્કશીટની ઝેરોક્ષ પાછળ ગુજરાતીમાં પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખીને નીચે મુજબના સ્થળે તારીખ-10/10/2024 સુધીમાં આપવાની રહેશે
* માહિતી તથા ઝેરોક્ષ નકલો નીચેના સ્થળે તારીખ-10/10/2024 સુધીમાં પહોંચાડવી. નિયત કરેલ તારીખ પછી મળેલ માર્કશીટ સન્માન માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવી
# નિઝામસાહેબ– પીપળીયારાજ
# મુસ્તુફા હુસેનભાઇ– વાલાસણ
# અબ્દુલરઝાકભાઈ – પ્રતાપગઢ વિકાસ ઇરીગેશન 27 નેશનલ હાઇવે સ્ટાર પ્લાઝા ચંદ્રપુર વાંકાનેર
# ઉસ્માનગનીભાઈ – ચંદ્રપુર અજમેરી ફરસાણ જીનપરા રોડ, વાંકાનેર
