વાંકાનેર: મુંબઈ, પુના અને પુરા મહારાષ્ટ્ર વિસ્તારમાં એક અલગ આંદોલન શરૂ છે. કોઈપણ પ્રકારનો ભીખારી હોય તેને રોકડા રૂપિયા લોકોએ આપવાનું બંધ કરેલ છે, એટલું જ નહીં, આ માટે અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રોકડા આપવાને બદલે ભોજન સામગ્રી આપવાથી ધન્ધાદારી ભિખારીઓની જમાત પર અંકુશ આવશે અને લાંબા ગાળે સમાજને ફાયદો થશે. અભિયાનમાં વહેંચતા પેમ્પલેટમાં લખવામાં આવ્યું છે કે …..
* ભીખારીને ભોજન + પાણી આપો. પરંતુ રોકડા રૂપિયો એક પણ નહીં.
* કોઈપણ વ્યકિત (સ્ત્રી, પુરૂષ, વૃદ્ધ, વિકલાંગ, બાળક) ભીખ માગે છે ત્યારે આપણે રોકડા રૂપિયાને બદલે (ખોરાક અથવા પાણી) આપવું, પરંતુ આજ થી આપણે રૂપિયાની ભીખ નહી આપીએ….
* પરિણામ, આંતરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, રાજયભરના ભીખારીઓનો સમુહ ટુટી જાશે. અને બાળકોના અપહરણ પણ આપોઆપ બંધ થઈ જાશે.
આ પ્રકારના સમૂહ દુનિયામાં ખાલી થઈ જાશે.
શરૂઆત કરીએ પોસ્ટને આગળ વધારીએ….
આપણે એકપણ ભીખારીને રૂપિયા નહી આપીએ.
ગાડી અથવા સ્કૂટરની ડેકીમાં ૨ બિસ્કીટના પેકેટ રાખીએ પણ રૂપિયા આપવા નહી.
* જો આપ આ અભિયાનથી સહમત છે, તો આ વિચારને આગળ ૩ ગૃપમાં મોકલો.
* કારણ કે કોઈ માતા-પિતાના કાળજાના ટુકડાને અપહરણને રોકવામાં આપની પોષ્ટ બહુ મોટુ યોગદાન કરી શકે છે.