કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category બાંધકામ

વાંકાનેર શહેરના વિકાસના ટેન્ડર બહાર પડયા

ટોળ – કોઠારિયા રોડ રીપેર થશે વાંકાનેર: શહેરના વિવિધ વિસ્તારના વિવિધ હેતુ માટેના ટેન્ડર બહાર પડયા છે, જેની છેલ્લી તારીખ: 28/11/2024 છે. ટેન્ડર નીચે મુજબના છે. વધુ વિગત માટે સંબંધિત કચેરીનો સંપર્ક કરવો…. (1) ટ્રાય-મિક્સ અને ડામર રોડ સાથેના સિમેન્ટ…

ટોળમાં પરિણીતાને માર: પતિ સહિત પાંચ સામે ફરિયાદ

ટંકારા: તાલુકાના ટોળ ગામે રહેતી મહિલાએ તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને દિયર દ્વારા ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણાં મારી ઢીકાપાટુનો માર મારીને ત્રાસ આપવામાં આવતો હોવાની તેમજ તેના દિયર દ્વારા ધોકા વડે માર મારીને હાથમાં ફ્રેક્ચર કરવામાં આવ્યું હોવાની…

ઘોડી ભેંસ સાથે અથડાવાના ડખ્ખામાં વળતી ફરિયાદ

ટંકારા: તાલુકાના સરાયા ગામે ઘોડી લઈને નીકળેલા યુવાનની ઘોડી ભેંસ સાથે ભટકાતા યુવાનને ગાળો આપી હતી જેથી યુવાને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સે પાઇપ વડે તથા બીજા શખ્સે લાકડાના ધોકા વડે યુવાન સહિત બે વ્યક્તિને માર માર્યો હતો…

વઘાસીયા ગામની સીમમાં આધેડનું અગમ્ય કારણોસર મોત

છરી સાથે બે પકડાયા વાંકાનેર: વઘાસીયા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં ૪૧ વર્ષના આધેડનું કોઈ કારણોસર મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે… મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ વઘાસીયા ગામની સીમમાં કયુંટોન સિરામિકની ઓરડીમાં રહીને કામ…

અમદાવાદ જતા નવા ત્રણ ટોલનાકા- માલિયાસણ પાસે પણ

વાંકાનેર: આપણે ટોલપ્લાઝાની હારમાળા વચ્ચે છીએ. વાંકાનેરથી કચ્છ, પોરબંદર, સોમનાથ જવામાં અનેક જગાએ ટોલનાકે ટેક્સ ચૂકવવો પડે છે. અત્યારે રાજકોટ કાર લઈને જવામાં કોઈ ટોલટેક્સ ભરવો પડતો નથી, પણ ચારેક મહિના પછી રાજકોટથી 8 કિમી પહેલા માલિયાસણ પાસે બની રહેલ…

લુણસરથી આવતું દુધ ટેન્કર રાતદેવરી પાસે સળગ્યું

વાંકાનેર: તાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ જતાં અચાનક આગ લાગી હતી, જેમાં ટેન્કર સળગી ઉઠતાં વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાની…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ચૂંટણી પંચે કર્યો આદેશ

ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી…

UPSC પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

વાંકાનેર: તા. ૧૯/૧૧/૨૦૨૪, મંગળવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે યુ.પી.એસ.સી. પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનાર માનનીય શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિ સાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીસાહેબશ્રી દ્વારા યુ.પી.એસ.સી. શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓ તથા…

હવે 8 લાખની હોમ લોનમાં 4% વ્યાજ સબસિડી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની આવી અનેક યોજનાઓ છે જેનો લાભ સામાન્ય લોકોને મળ્યો છે. તેમાંથી એક પ્રધાનમંત્રી આવાસ યોજના છે. તાજેતરમાં સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 ને મંજૂરી આપી છે…આ યોજનાના અવકાશમાં આર્થિક રીતે નબળા વિભાગ (EWS)/ઓછી આવક જૂથ…

રેન્જ ફોરેસ્ટ ઓફિસરને ખનીજ માફિયાની ધમકી

ફરજમાં રુકાવટ, આઈવા લઈ આરોપીઓ નાસી ગયા વાંકાનેર : વાંકાનેર પંથકમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ હવે હદ વટાવી રહ્યા હોય તેવી એક ઘટનામાં વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં જંગલ વિસ્તારમાં સેન્ડ સ્ટોનની ખનીજ ચોરી કરી રહેલા ખનીજ ચોરોને અટકાવતા ખનીજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!