કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અવસાન નોંધ

તિરંગાવાળા અશરફભાઈ બાદીનું ઈન્તકાલ

તિરંગાવાળા અશરફભાઈ બાદીનું ઈન્તકાલ

મૈયતનું બેસણું: તા. 23/03/2025, સોમવાર ચંદ્રપુર (અમર સોસાયટી) વિસ્તારમાં રહેતા, વાંકાનેર તાલુકાના મૂળ ખેરવા ગામના વતની અશરફભાઈ રહેમાનભાઈ બાદી (તિરંગા) નું ઈદની પવિત્ર રાત્રે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર સાંભળતાં જ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મરહુમની દફનવિધિ…

નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદીનું અવસાન

નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદીનું અવસાન

મૂળ અરણીટીંબાના વતની સુરતમાં સ્થાયી થયા હતા વાંકાનેર: મૂળ અરણીટીંબા ગામના વતની અને નિવૃત્ત IAS અધિકારી હબીબભાઈ બાદી 86 વર્ષની વયે અવસાન (ઇંતકાલ) થયું હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે. તેઓ ગુજરાત રાજ્યના પૂર્વ સહકાર મંત્રી મરહુમ અમિયલભાઈ બાદીના ભત્રીજા…

રઘુવંશી અગ્રણી અશોકભાઈ રાજવીરનું અવસાન

ઉઠમણું તા.6/3ને શુક્રવારના રોજ સાંજે વાંકાનેર: રઘુવંશી સમાજના સદાય અગ્રણી સમાજ સેવક અને આશાપુરા ગરબી મંડળના સંચાલક અશોકભાઈ રાજવીરનું અવસાન થયેલ છે. વાંકાનેર નિવાસી સ્વ. ભુદરભાઈ વલ્લભજીભાઈ રાજવીરના પુત્ર અશોકભાઈ (ઉ.64) તે સ્વ. જયંતિલાલ, સ્વ. મનસુખભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, લલીતભાઈ તથા…

પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના પ્રતાપગઢના માજી સરપંચ નૂરમહંમદભાઈ અને સામાજિક કાર્યોકર તથા અબ્દુલરઝાકભાઈ કડીવારના પિતાજીનો ઇન્તેકાલ થઇ ગયો છે. તેઓ સરળ સ્વભાવના હતા, અલ્લાહ મર્હૂમને જન્નતમાં આલા મકામ અતા ફરમાવે અને તેમના પરિવારને સબ્ર અતા ફરમાવે (આમીન)

દિગ્વિજયનગરના ક્ષત્રિય યુવાનનું મૃત્યુ

વાંકાનેર: અહીં દિગ્વિજયનગરના (મૂળ રહેવાશી જુના લુણસરીયા) રાજભા ઝાલાનું બીમારી સબબ મૃત્યુ થયું છે….મળતાવડા સ્વભાવના સદ્દગતને ઐતિહાસીક ઘટનાઓમાં ઘણો રસ હતો, એમના આત્માને શાંતિ મળે….  

ચંદ્રપુરના મામદભાઈ મંત્રીના વાલિદનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના મામદભાઈ મંત્રી (98252 03095) ના વાલિદ હાજી હાજીસાહેબનો ઇન્તેકાલ થયો છે, તેઓ એક નમ્ર, દીનદાર અને ઇમાનદાર વ્યક્તિ હતા, અલ્લાહ તઆલા પ્યારા મહેબૂબના સદકે તેમની મગ્ફિરત ફરમાવે, તેમની કબરને જન્નતના બાગોમાંથી એક બાગ બનાવે અને જન્નતુલ…

ગુલશન સોસાયટીમાં ગાજી હાજીસાહેબનો ઇન્તેકાલ

આસ્થા પૌલ્ટ્રી વાળા જૈનુલભાઈના વાલીદસાહેબ વાંકાનેર: ચંદ્રપુર પાસે ગુલશન સોસાયટીમાં રહેતા જૈનુલભાઈ (આસ્થા પૌલ્ટ્રી વાળા)ના વાલીદસાહેબ ગાજી હાજીસાહેબ શેરસીયાનો ઈનતેકાલ થયો છે, જેમની જીઆરત નીચેના સ્થળ અને સમયે આવતી કાલે રાખેલ છે તો હાજરી આપી સવાબે દારૈન હાસિલ કરવા ઇજન…

વાલાસણનાં સરપંચના પિતાશ્રી ફતેમામદભાઈનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામના હાલના સરપંચ એહમદબશીરના પિતાશ્રી કડીવાર ફતેમામદ અમનજી (ઉ.83) નો 16-1-2026 (શબે-મેરાજ) ના દિવસે ઇન્તેકાલ થયો છે, જિયારત રવિવાર 18 તારીખે વાલાસણ મુકામે રાખેલ છે….મર્હુમ વાલાસણ પંચાયતના એક વાર ઉપસરપંચ પદે રહી ચુક્યા છે, તેઓ સ્પષ્ટ વક્તા…

જનાબ અલ્હાજ આહમદ સાહેબ (તીથવા વાળા)નો ઇન્તેકાલ

જનાબ અલ્હાજ આહમદ સાહેબ (તીથવા વાળા)નો ઇન્તેકાલ

કમલ સુવાસ ન્યુઝમાં અગાઉ એમના વિષે પબ્લિશ થયેલ લેખ ફરી પબ્લિશ કરીયે છીએ એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ. એમણે શિક્ષણ ક્ષેત્રે…

ઇલેવન ઇલેક્ટ્રિક વાળા ગનીભાઈના દિકરાનું અવસાન

માઉન્ટ આબુ ખાતે કુદરતી કારણોસર દુઃખદ અવસાન દફનવિધિ આજે ઝોહર બાદ ચંદ્રપુર ખાતે વાંકાનેર તાલુકાના કણકોટ ગામના વતની અને હાલ દરબારી-ચંદ્રપુર ખાતે રહેતા ઇલેવન ઇલેક્ટ્રિક સ્ટોર વાળા ગનીભાઈ બાદીના નાના દિકરા હિદાયતનું ગત મોડીરાત્રીના 24 વર્ષની નાની ઉંમરમાં દુઃખદ કુદરતી…

વિનુ કટારીયાનું હ્નદય રોગના હુમલાથી અવસાન

વાંકાનેર: વિનોદભાઈ પ્રભુદાસભાઈ કટારીયા (ઉં.૬૨) સૌરાષ્ટ્રના વાંકાનેરના ભાજપ – રઘુવંશી અગ્રણી અને રામધામ ટ્રસ્ટ- જાલીડાના ટ્રસ્ટીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતા લુહાણા સમાજ અને વ્યાપારી જગતમાં ઘેર શોકની લાગણી વ્યાપી ગઈ છે. વિનુભાઈ કટારીયા ૧૯૯૦ માં અડવાણીજીની ધરપકડના વિરોધમાં વિમાન…

દિગ્વિજયનગરમાં ક્ષત્રિય આધેડનું અવસાન

વાંકાનેર: રણજીતસિંહ જસુભા ઝાલા (ઉ. 67) મૂળ ગામ કોઠારીયા હાલ વાંકાનેર દિગ્વિજયનગર- જે કુમારપાલસિંહ અને જયપાલસિંહનાં પિતાશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે, તેમનું બેસણું આવતા શનિવારે સાંજના 3 થી 6 વાગ્યે દિગ્વિજયનગર મેઈન રોડ, વાંકાનેર ખાતે…

મૂળ કેરાળાના વૃદ્ધનુ હાર્ટએટેક આવી જતા મૃત્યુ

જાલીડા પાસે કારખાનામાં મજૂરનું હાર્ટએટેકથી મોત

વાંકાનેર : શહેરના વડીયા વિસ્તારમાં રહેતા મૂળ કેરાળા ગામના વતની ભગવાનભાઈ છગનભાઈ ગોલતર ઉ.65 ગત તા.5ના રોજ પોતાના ઘેર હતા ત્યારે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી…

દિગ્વિજયનગરના ખાનભાઈનું બેભાન થયા બાદ મોત

જુના ધમલપરના યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ

મૃતક પોલીસ ખાતાના કર્મચારી વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) માં રહેતા બહાદુરખાન બુરહાનખાન પઠાણ (ઉ.વ. ૭૯) નામના વૃદ્ધ ગઇકાલે દુકાને બેઠેલા હતા, ત્યારે અચાનક તેમને શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, ત્યાં…

ચંદ્રપુર ગામે વૃદ્ધને ઘેર હાર્ટએટેક આવતા મૃત્યુ

સદ્દગત વાંકાનેર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ હેડ તરીકે સેવા બજાવતા હતા વાંકાનેર : તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઈ છગનભાઈ મકવાણા (ઉ.73) નામના વૃદ્ધને તેમના ઘેર ગઈકાલે સવારે હાર્ટએટેક આવી જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું…

ભાયાતી જાંબુડીયાના રાજેન્દ્રસિંહ ગોહિલનું અવસાન

નગરપાલિકાના સદસ્યના બનેવી સાહેબ  ગુરુવારના સદગતનું બેસણું વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડીયા નિવાસી રાજેન્દ્રસિંહ સહદેવસિંહ ગોહિલ તે અર્જુનસિંહના જમાઈ, બ્રિજરાજસિંહ અને પ્રતિપાલસિંહના બનેવીનું તારીખ 24/08/2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 28/08/2025 ને ગુરુવારના રોજ ભાયાતી જાંબુડીયા ખાતે સાંજે…

કોઠારીયાના શાહબુદ્દીનભાઈ શેરસીયાનો ઇન્તેકાલ

જે ચેન્નઈમાં ફેફસા ટ્રાન્સફરની સારવાર હેઠળ હતા હવે મદદની જરૂર નથી કોઠારીયા શેરસિયા પરિવારની યાદી અસ્સલામુ અલયકુમ !સલામ બાદ કહેતા દુઃખ અનુભવું છું કોઠારીયા ગામના શાહબુદ્દીનભાઈ જીવાભાઈ શેરસીયા જે ચેન્નઈમાં ફેફસા ટ્રાન્સફરની સારવાર હેઠળ હતા તે અલ્લાહની રહેમત માં પહોંચી…

દિગ્વીજયનગરના ગુરુકૃપા પરિવારમાં દુઃખદ અવસાન

બેસણું તા.૧૨-૦૬-૨૦૨૫, ગુરૂવારના સ્વ.મંછાબા અજીતસિંહ જાડેજા સ્વ. તા.૧૦-૦૬-૨૦૨૫, સંવત ૨૦૮૧ જેઠસુદ – પૂનમ ને મંગળવાર દિલગીરી સાથ જણાવવાનું કે તા.૧૦-૦૬-૨૦૨૫, મંગળવાર ના રોજ અમારા નાનાભાઇશ્રી અજીતસિંહ ચંદુભા જાડેજાના ધર્મ પત્ની સ્વ. મંછાબા અજીતસિંહ જાડેજા રામચરણ પામેલ છે. પરિવાર જેમનું મંદિર…

સણોસરાના હાજીભાઈ સર્કલનો લાલપરમાં ઈંતેકાલ

વાંકાનેર: તાલુકાના મોમીન સમાજના પ્રથમ તલાટી અને હાજીભાઇ સર્કલ તરીકે ઓળખાતા શેરસિયા હાજીભાઈ અલીભાઈનો આજે લાલપર મુકામે ઈંતેકાલ થયો છે. અલ્લાહ પાક એમને જન્નત નસીબ ફરમાવે (આમીન) એમની દફનવિધિ આજે જોહર બાદ સણોસરા (તા: રાજકોટ) મુકામે રાખેલ છે અને જિયારત…

પીપળીયા રાજ: 103 વર્ષની વયે અવસાન

વાંકાનેર: પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ શેરસીયા હુસેનભાઈ વલીભાઈ (95861 52058) ના અમ્મીજાન અને તાલુકા પંચાયતના પીપળીયા રાજ સીટના સદસ્ય શેરસીયા અમીનાબેન હુસેનભાઈના સાસુનું ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ 103 વર્ષની વયે અવસાન થયેલ છે. મરહુમાને અલ્લાહ પાક…

પાલિકા પૂર્વ પ્રમુખ વજુભા ઝાલાનું અવસાન: આવતી કાલે બેસણું

વાંકાનેર: અહીંના રાજપુત સમાજના પ્રમુખ તેમજ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ વજુભા સજુભા ઝાલા 84 વર્ષની વયે ટુકી બીમારી બાદ વસંત પંચમીના પાવન દિનની પૂર્વ સંધ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષોથી રાજપુત સમાજના પ્રમુખ અને જીવનભર સમાજ સેવાના…

ચંદ્રપુર માજી સરપંચ કાકુભાઈના પુત્રનું અવસાન

આજે બેસણું વાંકાનેર: મુળ દેવભુમી લાંબાગામ નિવાસી હાલ વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ અને ચંદ્રપુર પંચાયતના માજી સરપંચ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના પુત્ર નિલેશભાઈ મોદીનું તા.20/2ના રોજ અવસાન થતા વાંકાનેર લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. તે સ્વ.નિલેશભાઈ ખુબ માયાળુ સ્વભાવ…

જૈન અગ્રણી, ધર્માનુરાગી નટવરભાઈ શાહ અરિહંતશરણ પામ્યા

વાંકાનેરમાં ઝાંઝર સિનેમા અને ઇન્ટરનેશનલ સીરામીક યુનિટના તેઓ સ્થાપક હતા રાજકોટ: જૈન અગ્રણી, ધર્માનુરાગી નટવરલાલ મલુકચંદ શાહ (ઉ.92) તા.3જીના અરિહંત શરણ પામતા પરિવાર તથા સમાજમાં શોક છવાયો છે. સ્વ. નટવરલાલ શાહના પાર્થિવ દેહની સ્મશાન યાત્રામાં જૈન સંઘોના અગ્રણીઓ જોડાયા હતા.…

જુના વઘાસિયાના માલુભા ઝાલાનું દુઃખદ અવસાન

તેમની 100 વર્ષની ઉંમર હતી વાંકાનેર: જુના વઘાસિયા નિવાસી માલુભા રૂપસંગજી ઝાલા (ઉ.વ. 100) તે વનરાજસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ ઝાલાના પિતા, કિશોરસિંહ વનરાજસિંહ ઝાલા, ક્રિપાલસિંહ વનરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાના દાદાનું તારીખ 15-10-2024 ને મંગળવારના રોજ અવસાન…

મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપાની વફાત

વાંકાનેર: મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપા (આહમદભાઈ બાદી) ની 100 વર્ષની ઉંમરે વફાત થઇ છે. જયારે નેશનલ હાઇવે પર મહીકા પાસેથી પુલ બની રહ્યો હતો, ત્યારે પુલની પસાર થવાની પથ રેખા લોકોને અનુકૂળ નહોતી, આ બાબતે તત્કાલીન ધારાસભ્ય દિગ્વિજયસિંહ…

વાંકાનેરના જયંતીભાઈ સોનીનું દૂ:ખદ અવસાન

વાંકાનેર: અમારા ખુબ જુના તથા નજીકના મિત્ર અને વડીલ શ્રી જયંતીભાઈ સોની (પંચરત્ન જવેલર્સ વાળા)ના અવસાનના સમાચાર સાંભળી અમો અત્યંત દુઃખની લાગણી અનુભવીયે છીંએ. એમના આત્માને શાંતિ મળે…કમલ સુવાસ ન્યુઝ

જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઈનું અવસાન

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ જેઠાભાઇ પારેઘીનું અવસાન થયેલ છે. મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન જેઠાભાઇ પારેઘીના પતિ જેઠાભાઇ અમરાભાઇ પારઘી રહે પીપળીનું ગઈ કાલે દુઃખદ અવસાન થયેલ છે. સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા  

વાંકાનેરના રાજવી અને કેસરીદેવસિંહના કાકાનું અવસાન

બેસણું સોમવારે સાંજે 4 થી 6 વાગ્યા સુધી રણજીત વિલાસ પેલેસ વાંકાનેર ખાતે વાંકાનેર : વાંકાનેરના માજી રાજવી સ્વ. પ્રતાપસિંહજી ઝાલાના નાનાભાઈ ચંદ્રભાનુંસિંહજી ઝાલાના પુત્ર કુ. ભારતેન્દ્રસિંહજી ઝાલાનું 92 વર્ષની વયે તા. 15ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. સદગત ભારતેન્દ્રસિંહજી ઝાલા…

અરણીટીંબાના અગ્રણી નુરમામદભાઈ બાદીનું અવસાન

આજે જીયારત વાંકાનેર: વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના અને મોમીન સમાજના ભાજપના અગ્રણી, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને અરણીટીંબા દૂધ મંડળીના પ્રમુખ બાદી નુરમાહમદ આહમદભાઈનું ૮૬ વર્ષની વયે મંગળવારના રોજ ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જીયારત આજે ૩૦-૦૫-૨૦૨૪ ને ગુરુવાર…

મોમીન સમાજના સહકારી અગ્રણી અલીભાઈનું અવસાન

આવતી કાલે જીયારત વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગારીડા ગામના અને મોમીન સમાજના પીઢ સહકારી અગ્રણી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક અને જિલ્લા સંઘના પૂર્વ ડિરેક્ટર માથકિયા અલીભાઈ વલીનું 94 વર્ષની વયે ગઈ કાલે શુક્રવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જીયારત આવતી…

ચંદ્રપુરના અબ્દુલરહિમ કડીવારનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના કડીવાર અબ્દુલરહિમ મોહંમદ(પઠાણ) સુરત વાળા તારીખ:28/03/2024 ના રોજ ઝન્નત નશીન થયેલ છે. તેમની જીયારત તારીખ: 30/03/2024 ના રોજ સવારે 8:30 ના દરબારી સોસાયટી ચંદ્રપુર તેમના નિવાસસ્થાન પાછળ મદ્રેસાએ રાખેલ છે. સંપર્ક:+919978399750 એક પણ સમાચાર નહીં ચૂકવા…

પીરઝાદા પરિવાર મોદીજીનો રૂણ સ્વીકાર કરે છે

વાંકાનેર: તાજેતરમાં શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા (ઉર્ફે મીર સાહેબ) નું દુઃખદ અવસાન થયેલ છે, જે બાબતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક પત્રમાં દિલસોજી પાઠવેલ છે, પત્રની નકલ નીચે મુજબ છે. જેના જવાબમાં પીરઝાદા પરિવારના – શાઈર એહમદ કે. પીરઝાદાઅને…

આરોગ્યનગરમાં હાર્ટએટેકથી આધેડનું મૃત્યુ

વાંકાનેર : શહેરમાં ગાયત્રી મંદીર રોડ ઉપર આવેલ આરોગ્યનગરમાં રહેતા લાલજીભાઇ વશરામભાઇ માણસુરીયા ઉ.57 નામના આધેડ પોતાના ઘેર હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ…

સિંધાવદરના માલધારી અગ્રણીનું હાર્ટ એટેકથી અવસાન

વાંકાનેર તાલુકા ભાજપના મહામંત્રી, માલધારી સમાજના અગ્રણી તેમજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ હીરાભાઈ નોંઘાભાઈ બાંભવાનું હાર્ટ એટેકના કારણે અવસાન થયેલ છે. સેવા કાર્યો થકી સમાજમાં સુવાસ પ્રસરાવી લોકચાહના મેળવનારનાં અવસાનથી કદી ન પૂરાય તેવી સમાજને ખોટ પડી છે. જન્મ…

પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ મીર સાહેબની દુઃખદ વફાત

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું આજે સાંજે અચાનક આવેલ હ્દયના હુમલામાં દુઃખદ અવસાન થયું છે. (ઇન્ના લીલ્લાહે વ ઇન્ના એલયહે રાજેઉન) પાક પરવરદિગાર એમને જન્નત નસીબ કરે (આમીન) એક પણ…

મંદિરના પૂજારીને ચાલુ બાઇકે હાર્ટએટેક

વાંકાનેર: અહીંના જડેશ્વર રોડ પર ગુંદીવાળા મેલડી માતાજીના મંદિરના પૂજારી મયુરભાઈ હરિભાઈ પઢિયારનું ચાલુ બાઇકે હાર્ટ એટેક આવતા અવસાન થયેલ છે. જાણવા મળ્યા મુજબ સદ્દગતના ફુઆજી વઢવાણ રહે છે, તેમને ત્યાં માતાજીના માંડવાના ગોઠવેલ કાર્યક્રમની કંકોત્રી કોઠારીયા મુકામે બાઈક લઈને…

પત્રકાર યાકુબભાઈ બાદીના પિતાનું ઇન્તેકાલ

ખેરવા ગામ ખાતે આજે જીયારત…. વાંકાનેર: મર્હુમની જીયારત આવતીકાલ સોમવારે ખેરવા ગામ ખાતે યોજાશે…. વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ. 90)નું શનિવાર બપોરના સમયે ઈન્તેકાલ/અવસાન થયું છે, જેમની આખરી સફર શનિવારે સાંજના નિકળતાં તેમના જનાઝાને બહોળી સંખ્યામાં…

પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીનું નિધન

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીનું ટૂંકી બીમારી બાદ આજે દુઃખદ અવસાન થયેલ છે. જ્યોત્સનાબેન સોમાણીને 2002મા ભારતીય જનતા પાર્ટીએ વાંકાનેર વિધાનસભાની બેઠકની ટિકિટ આપીને ધારાસભાની ચૂંટણી મેદાનમાં ઉતારીયા હતા, તેઓ કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદા…

જૂની કલાવડીના ગુલાબહુસેનભાઈ માણસિયાનો ઇન્કતેકાલ

અકસ્માત કોઠારીયાના ફારૂકભાઈના મામા અને ચંદ્રપુરના અબ્દુલભાઇ (ચમક)ના બનેવી ઉપલેટા ખાતે ટીચર તરીકે ફરજ બજાવતા હતા વાંકાનેર તાલુકાના જૂની કલાવડીના ટીચર તરીકે મુસ્લિમ હાઇસ્કુલ ઉપલેટા ખાતે ફરજ બજાવતા માણસિયા ગુલાબ હુસેન જલાલભાઈ જેઓનું ધોરાજી પાસે ગઈ કાલે રાત્રે ધોરાજી- ઉપલેટા…

ICICI બેંક (ઢુવા)ના આસી. મેનેજરને હાર્ટ એટેક

નવાપરામાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં કામ સબબ આવેલા ઢુવા બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજરને ત્યાં હાર્ટ એટેક આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેનું…

વાંકાનેરના કાંતિભાઈ ભાટિયાનું અવસાન

આજે લોહાણા મહાજન વાડી ખાતે બેસણું વાંકાનેર: વાંકાનેરના જાણીતા ડેવલોપર અને સામાજિક અગ્રણી કાંતિભાઈ ભાટિયાનું તારીખ 28/ 8 / 2023 ને સોમવારે અવસાન થયેલ છે, તેમનું બેસવું આજે તારીખ 31/ 8 /2023 ના રોજ રાખવામાં આવેલ છે. વાંકાનેર નિવાસી કાંતીલાલ…

દુઃખદ: માજી સાંસદ લલીતભાઈ મહેતાનુ નિધન

આજે સવારે ૧૦.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા વાંકાનેર : વાંકાનેર ખાતે રહેતા લલીતભાઈ અમૃતલાલ મહેતા (ઉ.વ.૮૬)નુ ટુંકી બિમારીના કારણે આજે મોડી સાંજે અવસાન થયુ છે. લલીતભાઈ સંઘના ચુસ્ત કાર્યકર હતા. રાજ્યસભાના સાંસદ પદે રહી ચુકયા છે. રાજકોટ નાગરીક બેંકના…

માર્કેટ યાર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટરનો ઇન્તેકાલ

પીપળીયા(રાજ) ના રહીશ તેમજ માર્કેટ યાર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટર મર્હુમ આહમદભાઈ મામદભાઈ કડીવાર (એન.પી) તા.૮/૬/૨૦૨૩ ગુરૂવારના રોજ અલ્લાહની રહેમતમા‌ પંહોચી ગયેલ છે. અલ્લાહ તેમને આલા‌ સે આલા મકામ અતા ફરમાવે અને અલ્લાહ તેમને જન્નત નસીબ ફરમાવે (આમીન) તેમની જ્યારત‌ તા.૧૦/૦૬/૨૦૨૩ શનિવાર…

સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ દોશીનું અવસાન

રાજેશભાઈ ભોગીલાલ દોશીનું તા: 16 ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા: 18-1-2023 ના અપાસરા શેરીમાં સવારે 10 વાગે રાખેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. તેઓશ્રી વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હતા.

અવસાન નોંધ

મૂળ રંગપર (બેલા) ના રહીશ અને હાલમાં પ્રતાપ રોડ એસબીઆઈ બેન્ક સામે સઁઘવી શેરી સામે રહેતા અનિરૂધ્ધસિંહ સજ્જનસિંહ ઝાલાના સુપુત્ર સ્વ. સાગરસિંહનું તારીખ 3-12-2022 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેના આત્માને શાંતિ અર્પે.

કોઠારીયામાં મહિલાનો આપઘાત

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલ ૨૩ વર્ષના ચકુબેન કનકભાઈ કોબીયાએ અગમ્ય  કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા અપમૃત્યુ નીપજ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે અવસાન નોંધ જીનપરાના  લીલાવંતીબેન કુરજીભાઈ ઉમરાણીયા (ઉમ્મર વરસ-55) નું તા: 12-11-2022 ના રોજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!