વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા ગઈ કાલે ચૈત્ર સુદ આઠમનાં દિવસે સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીમ્બચ માતાજીના પ્રાગટ્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે માતાજીનો યજ્ઞ મહા આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ
વાંકાનેરના પ્રથમ યુવા કોર્પોરેટર દિનેશભાઇ સોંલકી, કેસકલા બોર્ડ મુહિમનાં વાંકાનેર શહેર પ્રમુખ દિનેશભાઈ પરમાર, ઉપપ્રમુખ નવીનભાઈ કલોલા તેમજ તાજેતરમાં જ આરોગ્ય ખાતામાં નિમણુંક થયેલ ભાવિનભાઇ કાંજીયાનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાંકાનેર વાણંદ સમાજના પ્રમુખશ્રી ખીમજીભાઇ રાછડીયા, ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ પરમાર અને મંત્રી શ્રી રસિકભાઈ ખોરજા તેમ જ કારોબારી સભ્યો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન રવિભાઈ લખતરીયા દ્વારા કરવામાં આવ્યુ હતું…