વાવાઝોડાના આગમન પહેલા અસરો વર્તાઈ રહી છે. મંગળવારે સાંજથી વરસાદી માહોલ અને ભારે પવન વચ્ચે મોદી રાત્રીના થોડો વરસાદ વરસ્યો હતો, જેમાં સિરામિક ફેકટરીના ઉડીને તૂટી પડયા હતા.
વાંકાનેરના જેતપરડા રોડ પર મંગળવારે રાત્રે ભારે વરસાદ પડયો હતો. જેના પગલે લીટો સિરેમિકના પતરા ઉડી જવા પામ્યા હતા. શેડના પતરા ઉડી ઉડીને નીચે પડયા હતા.
જેથી વ્યાપક નુકશાની થવા પામી હતી. સદનસીબે બનાવ સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાનિ કે ઇજા થવા પામી નથી. જો કે ફેકટરીમાં ઘણું નુકશાન થવા પામ્યું છે. હાલ નુકશાનીનો આંક મેળવી શકાયો નથી.