કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભાટિયા સોસાયટીમાં શ્રી રામજી મંદિરે રામલલ્લાના જન્મના વધામણા

વાંકાનેર: અહીં ભાટિયા સોસાયટી ખાતે શ્રી રામજી મંદિર ખાતે રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બપોરે ૧૨ વાગ્યે સોસાયટીના મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રામલલ્લાને વધાવવા ઉપસ્થિત રહ્યા હતા.

સ્વ. અમરસિંહભાઈ પરમાર દ્વારા નિર્મિત શ્રી રામજી મંદિર ખાતે પ્રો. અર્ચનાબેન પરમાર દ્વારા મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું અને બપોરે ૧૨ વાગ્યાના ટકોરે ભગવાનના જન્મ સમયે આરતી ઉતારી હતી અને ભગવાન શ્રી રામ ના પ્રાગટ્યને વધાવતા જય શ્રી રામ જય જય શ્રી રામ ના જયઘોષથી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત તમામ ભક્તોએ ભગવાનના દર્શન કરી હીચેક હિચોળી ધન્યતા અનુભવી હતી અને ખંજરી સહિતનો પ્રસાદ વિતરણ કરાયો હતો. આ પ્રસંગે સ્વ. અમરસિંહભાઈ પરમાર ના પરિવારજનો સાથે સ્વયં સેવકો દ્વારા મંદિરને શણગારવામાં જહેમત ઉઠાવી હતી અને પ્રસાદ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!