ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એક થી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓ ને કાયમી જગ્યા માં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે મંગાવાઈ છે. જેમાં હંગામી જગ્યામાં હાલ આઉટસોર્સિંગ કે અન્ય કોઈ રીતે કામ કરતા હોય તો તેની નોંધ લખવાની સૂચના પણ આપવામાં આવી છે.


આરોગ્ય વિભાગના પત્રમાં હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતર કરવાની યોજના સરકારની વિચારણા હેઠળનો છે ઉલ્લેખ કરાયો છે. રાજ્ય સરકારે તાજેતરમાં કરાર આધારિત કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. ફરજ દરમિયાન કરાર આધારિત કર્મચારીનું અવસાન થાય તો ઉચ્ચક 14 લાખની સહાય. આ લાભ વર્ગ-3 અને 4ના કરાર આધારિત કર્મચારીને મળશે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
