વાંકાનેરના સરતાનપરમા આવેલ એક સીરામીક યુનિટમાં શ્રમિક યુવાનનું અકસ્માતે મૃત્યુ નીપજેલ છે…
જાણવા મળ્યા મુજબ સરતાનપરમા આવેલ સ્વેલ ગ્રેનાઈટો એલએલપી કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળે લોબીની દીવાલ ઉપર બેઠેલ મૂળ મધ્યપ્રદેશના વતની કૈલાસ શંકરલાલા ચૌહાણ ઉ.34 નામના શ્રમિક યુવાનનું બીજા માળેથી પટકાતા મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.