રોગચાળા અંગે સાવચેતીના ભાગરૂપે મેલરીયા,ડેંગુ,ચિકનગુનિયા, ચાંદીપુરા જેવા રોગચાળા અટકાયતી પગલા
વાંકાનેર: મોરબી જિલ્લા ના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.કવિતા દવે મેડમ તેમજ રોગ નિયંત્રણ અધિકારી ડો.બાવરવા સાહેબની સુચના
મુજબ ટીએચઓ ડો.આરીફ શેરસિયા અને પા.આ.કેંદ્ર –દલડીના ડો. મહેશ ડાભી તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇજર વી.એચ માથકિયાની
સુચનાથી દલડી પી.એચ.સી ના જુદા જુદા ગામો ખાતે ચોમાસુ રૂતુ દરમ્યાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા માટે
સર્વેલંન્સ કામગીરી હાથ ધરવામા આવી. જેમા પી.એચ.સી ના તમામ સ્ટાફ દ્રારા તથા આશા બહેનો દ્રારા ઘરે ઘરે એબેટ કામગીરી અને
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

બળેલ ઓઇલ કામગીરી તેમજ ક્લોરીનેશન કામગિરી કરવામા આવેલ છે; તેમજ રોગચાળા બાબતે આરોગ્ય શિક્ષણ આપીને ચોમાસામા ફેલાતા રોગચાળા અટકાયતી પગલા લેવામા આવી રહ્યા છે.