કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

રાજગઢના વૃદ્ધાને મોટરસાયકલ સ્લીપ થવાથી ઈજા

સરતાનપર ગામની સીમમાં કારખાનાના શ્રમિકને વીજશોક લાગતા મૃત્યુ

વાંકાનેર: તાલુકાના રાજગઢ ગામના એક વૃદ્ધા મોટર સાયકલ સ્લીપ થવાના કારણે ઈજા થઇ હતી, જયારે બીજા બનાવમાં સરતાનપર ગામની સીમમા આવેલ કારખાનામાં શ્રમિકને વીજશોક લાગતા મૃત્યુ થયું છે…

જાણવા મળ્યા મુજબ રાજગઢ ગામના કુંવરબેન કાળુભાઈ દંતેશરીયા નામના 72 વર્ષના વૃદ્ધા મોટરસાયકલમાં બેસીને જતા હતા ત્યારે ગામમાં આવેલા મંદિર પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લઇ ગયા હતા…ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

બીજા બનાવમાં સરતાનપર ગામની સીમમા આવેલ સેકોલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વેળાએ મૂળ બોટાદ જિલ્લાના લીંબાસી ગામના વતની અને હાલમાં ફેકટરીના લેબર કવાટર્સમાં જ રહેતા રવિભાઈ ભીમજીભાઈ જાપડીયા ઉ.19ને વીજશોક લાગતા સારવાર માટે રફાળિયા નજીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!