કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી છે….

નગરપાલિકાએ એડવાઈઝરી જારી કરવી જોઈએ

વાંકાનેર: શહેરમાંથી પસાર થતા પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી હોવાનો ફોટો મળ્યો છે, જે આશિયાના સોસાયટીની મસ્જિદ પાસેથી પસાર થતા પતાળિયા વોંકળાનો છે, જેમાં મરેલી માછલીઓ તરી રહી છે…

આ માછલીઓ વોંકળાના પ્રદુષિત પાણીથી થઇ રહી હોવાનું અનુમાન છે, પતાળિયા વોંકળો વાંકાનેર શહેરમાંથી પસાર થાય છે, ત્યારે માછલીના મૃત્યુનું સાચું કારણ જાણી માનવ કે પશુઓ માટે આ પાણી હાનિકારક તો નથી ને? શહેરમાં કોઈ ગંભીર રોગચાળાના ફેલાવાનું કારણ પતાળિયા વોંકળાનું પાણી નહીં બને ને? એ બાબતમાં મોટા પ્રમાણમાં માછલીઓ મરે અને દુર્ગંધ ફેલાય તે પહેલા નગરપાલિકાએ એડવાઈઝરી જારી કરવી જોઈએ, એવી લોકમાંગ છે….
ફોટો સલીમભાઇ પરાસરા (94283 48212) નામના જાગૃત નાગરિકે લીધો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!