કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરવાસીઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ

કોઈપણ પ્રકારના નાત-જાત, ધર્મના ભેદભાવ વગર વાંકાનેર શહેર -ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે 24 કલાક નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો લાભ આપવામાં આવશે- મોઈન પીરઝાદા

વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એવા એસ. એમ. પી. ગ્રુપ દ્વારા તાજેતરમાં જ પોતાની લોક સેવામાં વધારો કરી વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાયો છે.  

જેમાં વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે દર્દીઓને તેમના ઘરેથી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સેવાનો લાભ આપવામાં આવશે. એમ. એમ. પી. ગ્રુપના સ્થાપક મોઈન પીરઝાદાએ જણાવ્યું હતું કે, અમો હાલ વાંકાનેર વિસ્તારમાં ભુખ્યાઓને ભોજન, યતિમખાના, ગરીબોમાં કિટ વિતરણ, વિધવા પેન્શન સહિતની સેવાકીય પ્રવૃતિઓ ચલાવી રહ્યા છીએ, જેમાં વધારો કરી અમોએ નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કર્યો છે.  

આ સેવામાં કોઈપણ પ્રકારના નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે 24 કલાક દર્દીઓને તેમના ઘરેથી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો લાભ આપવામાં આવશે 

Content Copying Forbidden !!

error: Content is protected !!