તારીખ: 17 સપ્ટેમ્બર મંગળવારના શાળામાં યોજાશે
વાંકાનેર: સરકારશ્રીના ૧૦ માં સેવા સેતુ અંતર્ગત વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી જિલ્લા પંચાયત મોરબીના માર્ગદર્શન અને સૂચન અંતર્ગત નિઃશુલ્ક હોમીઓપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં નીચે મુજબના રોગોની સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે…
(1) સ્ત્રી રોગ, બાળ રોગો, વૃદ્ધ રોગો (ર) હરસ મસા, પથરી, સંધાના રોગો, ચામડીના રોગો (3) પેટ આંતરડા એસિડિટી, કબજિયાત, ગેસ , અપચો પેશાબને લગતી તકલીફો (4) સાંધા અને નસના દુખાવા જેવા કે સાયટિકા, ખંભા, કોણી કાંડા , ઘૂંટીના દુખાવા (5) બાળકોને વારંવાર થતી શરદી ઉધરસ, પથારીમાં પેશાબ કરી જવો, માટી ખાવી વગેરે.. (6) વૃધ્ધોમાં યાદશક્તિ, પ્રોસ્ટેટ, ચક્કર, હર્પીસ, સાંધાના ઘસારા વગેરે.. (7) બીપી, ડાયાબિટીસ, થાયરોઈડ, સ્થૂળતા વગેરે..વધુ વિગત નીચે મુજબ છે…
તારીખ:- 17 સપ્ટેમ્બર મંગળવાર
સ્થળ:- પ્રાથમિક શાળા, સેવા સેતુ કાર્યક્રમ, રાતડિયા તા: વાંકાનેર.
સમય:- સવારે ૯ થી બપોરે ૩.
કેમ્પમાં સેવા આપનાર:- ડો. જે.પી. ઠાકર – મેડિકલ ઓફિસર હોમીઓપેથી જોધપર, તા. વાંકાનેર.
સેવક:- નૌશાદ શેરસીયા.
નોંધ:- જૂના રીપોર્ટસ અને ફાઇલ સાથે લાવવા વિનંતી…