કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અમને ખેતીવાડીમાં દિવસની લાઈટ આપો

દલડી પંથકના પાંચ ગામોની ખેતીવાડીમાં દિવસની લાઈટ આપવાની માંગણી

વાંકાનેર: દલડી પંથકના પાંચ ગામના આગેવાનો સહિત લોકોએ આજે મિલ પ્લોટમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં જવાબદાર અધિકારી સમક્ષ ખેતીવાડીમાં દિવસ દરમિયાન લાઈવ આપવા માટે માંગણી કરી છે.

આ વિસ્તારોના દિઘલિયા, દલડી, લુણસરિયા, શેખરડી અને કાછીયાગાળાના ખેડૂતો વતી આગેવાનોની માંગણી છે કે આ પંથકમાં જંગલી હિંસક પ્રાણીઓનો આટા ફેરા વધી ગયા છે. જેથી રાત્રે ખેડૂતો વાડીએ જતાં ડરી રહ્યા છે. જેથી શિયાળુ પાકમાં પિયત થઈ શકતું નથી અને ખેડૂતોના ઉભા પાક સુકાઈ ન જાય એ માટે પીજીવીસીએલના જવાબદાર અધિકારી સમક્ષ દિવસ દરમિયાન લાઈટ આપવાની માંગણી કરી છે. એ માટે જરૂરી મંજૂરી મેળવી આ માંગણી બાબતે તાત્કાલિક યોગ્ય કરવા વિનંતી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિઘલિયા ગામમાં ગઈ કાલે જ કોઈ જંગલી જાનવરે ચાર પશુઓના મારણ કર્યા હતા અને ત્રણ પશુઓને ચૂંથી નાખ્યા હતા. આ બનાવને અનુસંધાને ખેડૂતો રાત્રે તો ઠીક પણ દિવસના પણ સીમમાં જતા ડરી રહ્યા છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!