કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રેલ્વે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન

અમરસર- સ્ટેશન માસ્તર મનદીપસિંહ ઝાલાનો સમાવેશ
મનદીપસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા

રાજકોટ: રેલ્વેસેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ ડીવીઝનના 5 કર્મચારીઓનું આજે રાજકોટ ડીવીઝન રેલ્વે મેનેજર અશ્વનીકુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને એન્જિનિયરિંગ વિભાગના કર્મચારીઓને મે અને જુલાઈ, 2024માં રેલ્વે સેફ્ટી માં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આપવામાં આવ્યો છે…

એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં કનક સિંઘ (પોઈન્ટ્સમેન-મૂલી રોડ), લલિત કિશોર (પોઈન્ટ્સ મેન-લીલાપુર રોડ), દિનેશ આર યાદવ (ટ્રોલી મેન-રાજકોટ), ધર્મેન્દ્ર સિંહ (ગેટમેન-ગેટ નં 38)અને મનદીપસિંહ ઝાલા (સ્ટેશન માસ્તર-અમરસર)નો સમાવેશ થાય છે.
ઉપરોક્ત રેલ્વે કર્મચારીઓ દ્વારા ટ્રેકની નજીક ટ્રેનમાં ધુમાડો જોવો, એન્જીનમાં લટકતા ભાગોને જોવું, પોઈન્ટ યોગ્ય રીતે સેટ ન થયેલો જોવું, વ્હીલમાં સ્પાર્કીંગ નોટીસ કરી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. આ રેલ્વે કર્મચારીઓની સતર્કતા અને તકેદારીએ સંભવિત રેલ્વે અકસ્માતોને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર આર.સી.મીણા, સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર સુનિલકુમાર ગુપ્તા અને ડિવિઝનલ એન્જિનિયર (પૂર્વ) નિખિલ વાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!