નોટ પર લાગેલા સિક્યોરિટી થ્રેટના બદલાતા રંગ દ્વારા અસલી અને નકલી વચ્ચેનો તફાવત સરળતાથી જાણી શકાય
આજના સમયમાં કોઈપણ સામાન્ય માણસ માટે અસલી અને નકલી નોટ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે. નકલી નોટોનું પ્રિન્ટિંગ છેતરપિંડી કરનારાઓ દ્વારા એવી રીતે કરવામાં આવે છે કે બંને નોટો એકસરખી દેખાય છે. છેલ્લા કેટલાક સમયથી 500 રૂપિયાની મોટી નોટમાં છેતરપિંડી કરનારાઓની સંખ્યા વધી છે. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને RBI દ્વારા 500 રૂપિયાની નોટ સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા તમે અસલી અને નકલી નોટો વચ્ચે સરળતાથી તફાવત કરી શકો.
કેન્દ્રીય બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 500 રૂપિયાની અસલી નોટની સાઈઝ 63 mm*150 mm છે. તેનો રંગ સ્ટોન ગ્રે છે. નોટની ડિઝાઇનમાં જીયોમેટ્રિક પેટર્નનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નોટના મધ્યમાં મહાત્મા ગાંધીની તસવીર અને પાછળ લાલ કિલ્લો દર્શાવવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે નોટની પાછળ લાલ કિલ્લા પર દર્શાવવામાં આવેલો ત્રિરંગો તેના મૂળ રંગમાં છે. 500ની નોટમાં દેવનાગરી અને અંગ્રેજીમાં મૂલ્યને દર્શાવવમાં આવ્યો છે. તમને આ નોટની આગળ અને પાછળ બંને બાજુ જોવા મળશે. નોટ પર 500નો પણ ખૂબ જ ઓછી સંખ્યામાં પેટર્ન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
500 ની નોટમાં ડાબી અને નીચે જમણી બાજુએ નાનાથી મોટા સુધીના અંકોની પેનલ છે. નોટ પર આરબીઆઈના પ્રોમિસ ક્લૉઝની સાથે ગવર્નરની સહી અને જમણી બાજુએ મહાત્મા ગાંધીનો ફોટો અને 500ના મૂલ્યનું ઈલેક્ટ્રોટાઈપ વોટરમાર્ક છે. આ નોટ પર લાગેલા સિક્યોરિટી થ્રેટના બદલાતા રંગ દ્વારા અસલી અને નકલી વચ્ચેનો તફાવત સરળતાથી જાણી શકાય છે.