વાંકાનેર: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની હસનપર પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષક તથા વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મીડિયા મંત્રી શ્રી ધવલભાઈ બી. મહેતાએ તા. ૧૫/૦૯/૨૦૨૪ના રોજ તેમના પિતાશ્રી સ્વ. ભરતભાઈ મુળજીભાઈ મહેતાની ૭ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વાંકાનેર પુસ્તક પરબ





ટીમને ૧૦૦૦ રૂપિયા પુસ્તકો ખરીદવા ભેટ સ્વરૂપે આપેલ છે. આ તકે વાંકાનેર તાલુકાની પુસ્તક પરબ ટીમે ધવલભાઈ બી. મહેતા દાતા પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.