ઘટતી સુવિધાઓની આપૂર્તિ કરવા માટે બંને સાંસદશ્રીઓનું આશ્વાસન
વાંકાનેર: આજરોજ કોઠારિયા ખાતે આવેલ મોરબી જીલ્લાની જવાહર નવોદય વિધાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, કલેકટર તથા નવોદય વિદ્યાલય વિદ્યાલય મોરબીના અધ્યક્ષ જી ટી પંડ્યા, કાર્યપાલક એન્જિનિયર હિતેશભાઈ આદ્રોજા, જિલ્લા શિક્ષણ અધિકારી રાણીપા તથા જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીના પ્રતિનિધિ તથા કોઠારીયાના પૂર્વસરપંચ કિશોરસિંહ ઝાલા તેમજ વાલીના પ્રતિનિધિ તરીકે ભરતભાઇ બોપલિયા અને શીતલબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા
જેમાં વિદ્યાલયની વિભિન્ન ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓ અંગેની ચર્ચા કરવામાં આવી સાથોસાથ વિદ્યાલયમાં આવાસીય, શૈક્ષણિક, ભોજન સંબંધી પણ ચર્ચા કરી. હિન્દી પખવાડાનું ઉદ્ઘાટન સાંસદ તથા કલેકટરના વરદ હસ્તે કરવામાં આવ્યું.
વિદ્યાલયમાં ઘટતી સુવિધાઓની આપૂર્તિ કરવા માટે બંને સાંસદશ્રીઓએ 10 -10 કોમ્પ્યુટર તથા બે- બે સ્માર્ટ બોર્ડ ફાળવવાનું આશ્વાસન આપ્યું,
તથા કલેકટરએ વિદ્યાલયના ક્રીડાંગણને વિકસિત કરવા માટે આશ્વાસન આપેલ છે આચાર્ય આર કે બોરોલે તરફથી આવેલા સૌ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો