વાંકાનેર: કોળી સમાજના ઈષ્ટદેવ માંઘાતા ભગવાનના પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણીના ભાગ રૂપે માંઘાતા મંદિર જીનપરા વાંકાનેર ખાતે કોળી સેના માંઘાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલી હોદેદારોની મીટીંગમાં સમગ્ર
વાંકાનેર અને કોળી સમાજના વાંકાનેર તાલુકાના ગામોમા કોળી સેના માંઘાતા ગ્રુપ વાંકાનેર દ્વારા માં ઘાતા પ્રાગટય દિવસની વાંકાનેર શહેર જીનપરા વિસ્તાર ખડીપરા, મિલપ્લોટ, કુંભારપરા, વિશીપરા સહિતના વિસ્તારોમાં મહાઆરતી મહાપ્રસાદ જ્ઞાતીના સમાજ સેવકોને
સન્માનિત કરવા સમાજમાં શિક્ષણ પર વધુમા વધુ ધ્યાન આપવુ સમાજની પ્રગતિ કેમ થાય સહિતના કાર્યો પર ભારપૂર્વક કામ કરવા સહિત કાર્યક્રમ યોજાશે. માંઘાતા ભગવાનના પ્રાગટય દિવસ ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિ ખિહરના શુભ દિને આસ્થાભેર કોળી સેના માંઘાતા ગ્રુપ
દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે કોળી સેના માંઘાતા ગ્રુપ મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણા દ્વારા જણાવવામાં આવેલ છે…